India

સોનિયા ગાંધીની તબિયત લથડતા ગુરુગ્રામની હોસ્પિટલમાં દાખલ, રાહુલ-પ્રિયંકા પણ હાજર

By GS TEAM
13 May 20262 mins read
TukuTouch Logo
કોંગ્રેસના વરિષ્ઠ નેતા સોનિયા ગાંધીની તબિયત ફરી એકવાર લથડી છે. તેમને ગુરુગ્રામમાં હોસ્પિટલમાં દાખલ કરાયા છે અને હાલ તેમની સ્થિતિ સ્થિર છે. જોકે સૂત્રો અનુસાર તેમને એક સામાન્ય સર્જરી માટે હોસ્પિટલમાં લાવવામાં આવ્યાની જાણકારી મળી રહી છે. રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધી પણ હોસ્પિટલમાં તેમની સાથે જ જોવા મળ્યા હતા. અગાઉ 24 માર્ચના રોજ પણ તાવ અને ઈન્ફેક્શનની ફરિયાદ બાદ તેમને દિલ્હીની સર ગંગારામ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. હાલમાં ડૉક્ટરો તેમના પેટ અને યુરિનરી ટ્રેક્ટમાં સંભવિત ઈન્ફેક્શનની તપાસ માટે આગળની પ્રક્રિયા કરી રહ્યા છે.

Summarized by AI; it may make mistakes. Check important info

સોનિયા ગાંધીની તબિયત લથડતા ગુરુગ્રામની હોસ્પિટલમાં દાખલ, રાહુલ-પ્રિયંકા પણ હાજર
(IMAGE - IANS)

Sonia Gandhi News: કોંગ્રેસના વરિષ્ઠ નેતા સોનિયા ગાંધીની તબિયત ફરી એકવાર લથડી છે. તેમને ગુરુગ્રામમાં હોસ્પિટલમાં દાખલ કરાયા છે અને હાલ તેમની સ્થિતિ સ્થિર છે. જોકે સૂત્રો અનુસાર તેમને એક સામાન્ય સર્જરી માટે હોસ્પિટલમાં લાવવામાં આવ્યાની જાણકારી મળી રહી છે. રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધી પણ હોસ્પિટલમાં તેમની સાથે જ જોવા મળ્યા હતા. અગાઉ 24 માર્ચના રોજ પણ તાવ અને ઈન્ફેક્શનની ફરિયાદ બાદ તેમને દિલ્હીની સર ગંગારામ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. હાલમાં ડૉક્ટરો તેમના પેટ અને યુરિનરી ટ્રેક્ટમાં સંભવિત ઈન્ફેક્શનની તપાસ માટે આગળની પ્રક્રિયા કરી રહ્યા છે.

રાહુલ ગાંધીએ કેરળનો પ્રવાસ રદ કર્યો

માતાની તબિયત બગડતા લોકસભામાં વિરોધ પક્ષના નેતા રાહુલ ગાંધી તાત્કાલિક હોસ્પિટલ પહોંચ્યા હતા. તેમણે સોનિયા ગાંધીની સ્વાસ્થ્ય સંબંધી ચિંતાઓને કારણે પોતાનો નિર્ધારિત કેરળ પ્રવાસ રદ કર્યો છે. કોઝિકોડમાં એક રેલીને વર્ચ્યુઅલી સંબોધિત કરતી વખતે રાહુલ ગાંધીએ જણાવ્યું હતું કે, માતા હોસ્પિટલમાં હોવાથી એક પુત્ર તરીકે તેમની સાથે રહેવું જરૂરી હોવાથી તેઓ વ્યક્તિગત રીતે હાજર રહી શક્યા નથી.

આ પણ વાંચો: ડિપ્રેશનમાં હતા પ્રતીક યાદવ, વેન્સની સારવાર ચાલી રહી હતી... હવે પોસ્ટમોર્ટમ રિપોર્ટ પર સૌની નજર

અગાઉ પણ સ્વાસ્થ્ય સમસ્યાઓનો કરવો પડ્યો છે સામનો

સોનિયા ગાંધી છેલ્લા કેટલાક સમયથી સ્વાસ્થ્ય સમસ્યાઓનો સામનો કરી રહ્યા છે. ગત વર્ષે જૂન મહિનામાં પણ પેટને લગતી સમસ્યાઓના કારણે તેમને ગેસ્ટ્રોએન્ટેરોલોજી વિભાગમાં નિરીક્ષણ હેઠળ રાખવામાં આવ્યા હતા. આ ઉપરાંત, 7 જૂન, 2025ના રોજ તેમને શિમલાની ઇન્દિરા ગાંધી મેડિકલ કોલેજ અને હોસ્પિટલમાં પણ દાખલ કરવામાં આવ્યા હતા. હાલમાં મેદાંતા હોસ્પિટલના નિષ્ણાત ડૉક્ટરોની ટીમ તેમની સારવાર કરી રહી છે.