India

PM આવાસ પાસે ધરણાં સ્થળે પોલીસ કાર્યવાહીથી કોંગ્રેસ નેતાઓમાં રોષ, જાણો કોણે શું કહ્યું?

By GS Team
21 Jul 20264 mins read
TukuTouch Logo
દિલ્હીમાં વિદ્યાર્થીઓના સમર્થનમાં વડાપ્રધાન આવાસ તરફ માર્ચ કરી રહેલા રાહુલ ગાંધી સહિતના કોંગ્રેસ નેતાઓની પોલીસે અટકાયત કરી. આ ઘટનાથી વિપક્ષે કેન્દ્ર સરકાર સામે આકરો મોરચો માંડ્યો છે. નેતાઓએ પોલીસની કાર્યવાહીને લોકશાહી પર કાળો ધબ્બો ગણાવી શિક્ષણ મંત્રીના રાજીનામાની માંગ દોહરાવી. વિપક્ષી નેતાઓએ આ અત્યાચાર સામે અવાજ ઉઠાવ્યો.

Summarized by AI; it may make mistakes. Check important info

PM આવાસ પાસે ધરણાં સ્થળે પોલીસ કાર્યવાહીથી કોંગ્રેસ નેતાઓમાં રોષ, જાણો કોણે શું કહ્યું?

Congress Leader's Eeaction On Delhi Protests : દિલ્હીમાં વિદ્યાર્થીઓના સમર્થનમાં વડાપ્રધાન આવાસ તરફ માર્ચ કરી રહેલા કોંગ્રેસના અગ્રણી નેતાઓ પર પોલીસે કરેલી કાર્યવાહી, રાહુલ ગાંધી સહિતના વરિષ્ઠ નેતાઓની ઢસડીને કરાયેલી અટકાયત અને દેશની શિક્ષણ વ્યવસ્થામાં વ્યાપ્ત ગડબડોને લઈને કોંગ્રેસ અને વિપક્ષી નેતાઓએ કેન્દ્ર સરકાર સામે આકરો મોરચો માંડ્યો છે. નેતાઓએ પોલીસની બળજબરી અને અત્યાચારને લોકશાહી પર કાળો ધબ્બો ગણાવતા શિક્ષણ મંત્રીના રાજીનામાની માંગણી દોહરાવી છે. વિપક્ષી નેતાઓ દ્વારા આપવામાં આવેલી પ્રતિક્રિયાઓ નીચે મુજબ છે.

રાહુલ ગાંધીની અટકાયતથી દેશવાસીઓના દિલ દુભાયા: શશી થરૂર

જંતર-મંતર પ્રદર્શન સ્થળે પહોંચેલા કોંગ્રેસ સાંસદ શશી થરૂરે કહ્યું કે, 'વિપક્ષના નેતાને શારીરિક રીતે ઢસડીને અટકાયતમાં લેવામાં આવ્યા અને અન્ય સાંસદો સાથે પણ એવું જ કરાયું. આ એવી ઘટના છે જેણે દેશના દરેક નાગરિકના દિલ અને આત્માને ઢંઢોળી દીધા છે. હું અહીં વિરોધ કરી રહેલા વિદ્યાર્થીઓ સાથે એકજૂથતા દર્શાવવા આવ્યો છું. અહિંસક વિરોધ કરવો એ લોકશાહી અધિકાર છે. કોઈ પણ કાયદા વિરુદ્ધ કામ નથી કરી રહ્યું, તો પછી સરકાર આવી અસંવેદનશીલતા કેમ દાખવી રહી છે તે સમજાતું નથી. બ્રુટલ લાઠીચાર્જ, પોલીસનું ભયાનક વર્તન અને રાહુલ ગાંધીની બળજબરીથી અટકાયતથી દેશના કાયદાનું પાલન કરતા નાગરિકોમાં ભારે નિરાશા વ્યાપી છે. સરકારે પોતાની જવાબદારીમાંથી ભાગવા માટે પોલીસના અત્યાચારનો સહારો ન લેવો જોઈએ.'

ખેડૂતોને રોકવા માટે દમનચક્ર ચલાવાઈ રહ્યું છે: રણદીપ સિંહ સુરજેવાલા

હરિયાણા સરહદે ખેડૂતોને રોકવા અંગે કોંગ્રેસ સાંસદ રણદીપ સિંહ સુરજેવાલાએ કહ્યું કે, 'જે રીતે આપણા ખેડૂત ભાઈઓને શંભુ બોર્ડર અને હરિયાણા-દિલ્હી સરહદો પર બળજબરીથી રોકવામાં આવી રહ્યા છે, તેના માટે હું માત્ર એટલું જ કહીશ કે આ મોડી સરકારનું દમનચક્ર, અત્યાચાર અને બળપ્રયોગની સાંકળો છે. આ સાંકળો ન તો પહેલા ખેડૂતોને રોકી શકી હતી અને ન તો હવે રોકી શકશે.'

વિપક્ષી એકતાની શક્તિશાળી રજૂઆત થઈ: જયરામ રમેશ

કોંગ્રેસ નેતા જયરામ રમેશે કહ્યું કે, 'વિપક્ષી એકતા અને એકજૂથતા ખૂબ જ શક્તિશાળી રીતે પ્રદર્શિત થઈ છે. અમારી માંગ એ જ છે કે ગૃહમંત્રી નિવેદન આપે અને શિક્ષણ વ્યવસ્થા, પરીક્ષા પદ્ધતિ તથા ગઈકાલે દિલ્હી પોલીસ દ્વારા વિદ્યાર્થીઓ પર કરાયેલા અત્યાચાર અંગે વિસ્તૃત ચર્ચા થાય. સાથે જ શિક્ષણ મંત્રી રાજીનામું આપે. જો સરકાર આ માનસિકતા ચાલુ રાખશે તો સંસદનું સત્ર ધોવાઈ જશે.'

વિગતો મળ્યા બાદ વિસ્તૃત પ્રતિક્રિયા આપીશ: મનિષ તિવારી

કોંગ્રેસ સાંસદ મનિષ તિવારીએ કહ્યું કે, 'હું ફાઇનાન્સ સ્ટેન્ડિંગ કમિટીની બેઠકમાં હતો કારણ કે સિક્યોરિટીઝ માર્કેટ કોડ અંગેનો રિપોર્ટ સ્વીકારવાનો હતો. મને હમણાં જ જાણ કરવામાં આવી છે કે અમારા કેટલાક સાથીઓ ત્યાં ગયા હતા અને તેમની અટકાયત કરવામાં આવી છે. તેથી તમામ વિગતો મળ્યા બાદ જ આ બાબતે વિસ્તૃત પ્રતિક્રિયા આપી શકાશે.'

કેન્દ્ર સરકારની તાનાશાહી અને ક્રૂરતા ફરી સામે આવી: કે. સી. વેણુગોપાલ

કોંગ્રેસ સાંસદ કે. સી. વેણુગોપાલે કહ્યું કે, 'સરકારે ગઈકાલે પોતાની ક્રૂરતા બતાવી હતી અને આજે પણ તે ક્રૂરતાનું પુનરાવર્તન કર્યું છે. તેઓ સંપૂર્ણપણે અલોકતાંત્રિક છે. જિતેન્દ્ર સિંહે અમને નોટિસ આપવા કહ્યું જેથી તેઓ ચર્ચા અંગે વિચારી શકે, પરંતુ અમે ગઈકાલે પણ નોટિસ આપી હતી અને આજે પણ આપી હતી. આ બધી બહાનાબાજી છે.'

ન્યાય માટે અમારો અવાજ વધુ મજબૂત બનશે: રેણુકા ચૌધરી

દિલ્હીમાં પ્રદર્શન દરમિયાન કોંગ્રેસ સાંસદ રેણુકા ચૌધરીએ કહ્યું કે, 'વડાપ્રધાને બહાર આવવું જોઈએ, અમે લાંબા સમયથી ન્યાયની માંગ કરી રહ્યા છીએ. તમારું ધ્યાન હવે વંદે માતરમ પર છે, જે અમે નાનપણથી જાણીએ છીએ. અમારો અવાજ દબાવી શકાશે નહીં, તે વધુ મજબૂત બનશે.'

નેતાઓની બળજબરીથી અટકાયત કરવી સંપૂર્ણપણે ખોટું: રાજીવ શુક્લા

કોંગ્રેસ સાંસદ રાજીવ શુક્લાએ કહ્યું કે, 'રાહુલ ગાંધી અને આપણા તમામ નેતાઓની અટકાયત કરીને છત્રસાલ સ્ટેડિયમ લઈ જવામાં આવ્યા હતા. પોલીસે નેતાઓને બળજબરીથી બસોમાં પૂર્યા હતા, જે સંપૂર્ણપણે ખોટું છે. અમારી માંગણીઓ એ જ છે - શિક્ષણ મંત્રીનું રાજીનામું અને આ મુદ્દે સંસદમાં વિસ્તૃત ચર્ચા.'

યુવાનો પર લાઠીચાર્જ કરનારી સરકારને સત્તામાં રહેવાનો કોઈ અધિકાર નથી: દીપેન્દ્ર સિંહ હુડ્ડા

કોંગ્રેસ સાંસદ દીપેન્દ્ર સિંહ હુડ્ડાએ કહ્યું કે, 'જે સરકાર યુવાનો પર લાઠીચાર્જ કરી રહી છે તેને સત્તામાં રહેવાનો કોઈ નૈતિક અધિકાર નથી. દેશના યુવાનોનું ભવિષ્ય બગાડ્યા પછી આ સરકાર હવે તેમના પર લાઠીઓ વરસાવી રહી છે. અમારી માંગ છે કે ધર્મેન્દ્ર પ્રધાન રાજીનામું આપે. આ ઉપરાંત દેશની શિક્ષણ અને પરીક્ષા પદ્ધતિમાં વ્યાપક સુધારા અંગે લોકસભા અને સંસદમાં વિસ્તૃત ચર્ચા થવી જોઈએ.'

અમારી માંગણીઓ સ્પષ્ટ છે, ધર્મેન્દ્ર પ્રધાનને બરતરફ કરો: જોથીમણિ

કોંગ્રેસ સાંસદ જોથીમણિએ કહ્યું કે, 'કોંગ્રેસ પાર્ટી, INDIA ગઠબંધન અને વિદ્યાર્થીઓની માંગણીઓ એકદમ સ્પષ્ટ છે. ધર્મેન્દ્ર પ્રધાનને જવાબદાર ઠેરવીને તેમને પદ પરથી બરતરફ કરવામાં આવે. રાહુલ ગાંધી, પ્રિયંકા ગાંધી અને આપણા તમામ નેતાઓને રસ્તા પર ઢસડવામાં આવ્યા હતા.'