કોંગ્રેસમાં મોટા ફેરફારની તૈયારીઓ! યુપીની જેમ તમામ રાજ્યોમાં ભંગ થઈ શકે છે તમામ સમિતિઓ
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Congress Foundation Day: કોંગ્રેસ પાર્ટીનો 28 ડિસેમ્બરે 140મો સ્થાપના દિવસ છે. ત્યારે હવે કોંગ્રેસ સંગઠનને લઈને મહત્ત્વના સમાચાર મળી રહ્યા છે. સૂત્રોના અનુસાર, પાર્ટી અધ્યક્ષ મલ્લિકાર્જૂન ખડગે દ્વારા રાજ્યની સમિતિઓમાં મોટા ફેરફાર કરવામાં આવી શકે છે. હાલમાં હરિયાણા અને મહારાષ્ટ્રમાં મળેલી કારમી હાર બાદ કોંગ્રેસ પોતાના સંગઠનને મજબૂત કરવા માટે નવા પગલાં ભરવાની યોજના બનાવી રહી છે. આ ફેરફાર હેઠળ કેટલાક રાજ્ય સમિતિને ભંગ કરીને નવી નિમણૂક થઈ શકે છે, જેનાથી પાર્ટી આગામી ચૂંટણીઓ માટેની તૈયારીઓ વધુ સારી રીતે કરી શકે.
સૂત્રોના અનુસાર, કોંગ્રેસ પાર્ટી પોતાના અલગ-અલગ રાજ્ય સમિતિઓમાં મોટા ફેરફાર કરી શકે છે, જે 28 ડિસેમ્બરે પાર્ટીના સ્થાપના દિવસ પહેલા થઈ શકે છે. ખાસ કરીને હરિયાણા અને મહારાષ્ટ્રમાં મળેલી હાર બાદ કોંગ્રેસ અધ્યક્ષ તરફથી પાર્ટીના રાજ્ય એકમોમાં ફેરફારની સંભાવના વ્યક્ત કરાઈ રહી છે. પાર્ટીની કેન્દ્ર અને રાજ્ય સ્તર પર રણનીતિઓને નવું રૂપ આપવા માટે આ પગલું ભરવામાં આવી શકે છે.
આ પણ વાંચો: 'કપડાં પર ટેક્સ વધારવાની તૈયારીમાં કેન્દ્ર સરકાર', GSTને લઈને રાહુલ ગાંધીના પ્રહાર
મહારાષ્ટ્ર સહિત અન્ય રાજ્યોમાં ફેરફારની તૈયારી
સૂત્રોના અનુસાર, 28 ડિસેમ્બર પહેલા ઉત્તરપ્રદેશની જેમ અન્ય રાજ્યોની સમિતિને ભંગ કરીને નવા નેતૃત્વની નિમણૂક કરવામાં આવી શકે છે. આ ફેરફારોમાં મહારાષ્ટ્ર સહિત અન્ય રાજ્યોના પ્રભારી, પ્રદેશ અધ્યક્ષ અને કેટલીક સમિતિઓને ભંગ કરીને નવી નિમણૂક કરવામાં આવી શકે છે. આ નિર્ણય પાર્ટીની સંગઠનાત્મક શક્તિને વધારવા માટે અને આગામી ચૂંટણીઓમાં સારા પ્રદર્શનની આશાએ લેવામાં આવી શકે છે.
કોંગ્રેસનો 140મો સ્થાપના દિવસ
ભારતીય કોંગ્રેસનો 140મો સ્થાપના દિવસ દેશની સૌથી જૂની રાજકીય પાર્ટીના ગૌરવશાળી વારસાની યાદ અપાવે છે. 1885માં એઓ હ્યૂમ, દાદાભાઈ નૌરોજી અને દિનશા વાચા જેવા નેતાઓની આગેવાનીમાં સ્થાપવામાં આવેલી કોંગ્રેસે ભારતીય સ્વતંત્રતા સંગ્રામનું નેતૃત્વ કર્યું હતું. મહાત્મા ગાંધી, જવાહરલાલ નેહરૂ, સરદાર પટેલ જેવા દિગ્ગજોના નેતૃત્વમાં ભારતને સ્વતંત્રતા અપાવી. આ દરમિયાન કોંગ્રેસે દેશના સામાજિક, આર્થિક અને રાજકીય ફેરફારમાં મહત્ત્વપૂર્ણ ભૂમિકા ભજવી હતી, પરંતુ આઝાદી બાદ પાર્ટીને નવા પડકારોનો સામનો કરવો પડ્યો હતો.
આ પણ વાંચો: અમને EVM પર આશંકા, લોકો પણ ખુશ નથી: ઉદ્ધવ સેનાના ધારાસભ્યોએ શપથ લેવાનો કર્યો ઇન્કાર




