Get The App

છત્તીસગઢમાં સુરક્ષાદળો-નક્સલીઓ વચ્ચે અથડામણ, આડેધડ ગોળીબાર, 5 નક્સલી ઠાર, 214 અડ્ડાનો ખાતમો

Updated: Feb 19th, 2026

GS TEAM

Google News
Google News
છત્તીસગઢમાં સુરક્ષાદળો-નક્સલીઓ વચ્ચે અથડામણ, આડેધડ ગોળીબાર, 5 નક્સલી ઠાર, 214 અડ્ડાનો ખાતમો 1 - image


Chhattisgarh Encounter : છત્તીસગઢના બિજાપુર જિલ્લામાં સુરક્ષા દળોએ મોટા નક્સલી નેટવર્ક પર મોટી કાર્યવાહી કરીને નક્સલીઓની કમર તોડી નાખી છે. જંગલ વિસ્તારમાં નક્સલીઓએ આડેધડ ગોળીબાર કર્યા બાદ સુરક્ષાદળોએ પાંચ નક્સલીઓને ઠાર કરવાની સાથે 214 નક્સલી અડ્ડાનો પણ ખાતમો બોલાવી દીધો છે. આમ સુરક્ષા દળોએ નક્સલી વિરોધી અભિયાનમાં વધુ એક મોટી જીત હાંસલ કરી લીધી છે.

સુરક્ષા દળોનો નક્સલીઓ પર ભયાનક પ્રહાર

મીડિયા રિપોર્ટ મુજબ, સુરક્ષાદળના જવાનોએ નક્સલ વિરોધી અભિયાન હેઠળ બિજાપુર જિલ્લામાં પેટ્રોલિંગ કરી રહ્યા હતા. આ દરમિયાન નક્સલીઓ અચાનક તેમના પર આડેધડ ફાયરિંગ શરુ કરી દીધું હતું. બીજી તરફ સુરક્ષાદળે પણ વળતો જવાબ આપીને નક્સલીઓ પર ભયાનક પ્રહાર કર્યા હતા, જેમાં પાંચ નક્સલીઓ ઠાર થયા છે.

આ પણ વાંચો : હાઈકોર્ટે એકસાથે 42 ધારાસભ્યોને નોટિસ ફટકારી, જાણો કારણ

214 ઠેકાણા અને બંકરોનો ખાતમો

સુરક્ષા દળોએ આ લાલ આતંક પર સર્જીકલ સ્ટ્રાઇક કરીને નક્સલીઓના 214 ઠેકાણા અને બંકરોનો પણ ખાતમો બોલાવી દીધો હોવાના અહેવાલ સામે આવ્યા છે. આ કાર્યવાહી દરમિયાન બહોળા પ્રમાણમાં વિસ્ફોટ સામગ્રી પણ મળી આવી છે. આમ સુરક્ષાદળોની આક્રમક કાર્યવાહી અને ભયાનક પ્રહારે નક્સલીઓ પીછેહટ થવા મજબૂર કર્યા છે.

આ પણ વાંચો : ‘રાહુલ ગાંધીને ગોળી મારી દઈશું’ સંસદમાં બનેલી ઘટનાનો બદલો લેવા 25 સાંસદોને રાજસ્થાનના વ્યક્તિની ધમકી