Get The App

લોકસભામાં સ્પીકર વિરૂદ્ધ અવિશ્વાસ પ્રસ્તાવ પર ચર્ચા, ગોગોઈએ નરવણેના પુસ્તકનો મુદ્દો છેડતા હોબાળો

Updated: Mar 10th, 2026

GS TEAM

Google News
Google News
લોકસભામાં સ્પીકર વિરૂદ્ધ અવિશ્વાસ પ્રસ્તાવ પર ચર્ચા, ગોગોઈએ નરવણેના પુસ્તકનો મુદ્દો છેડતા હોબાળો 1 - image

Image Source: Twitter

Debates on no confidence motion against Speaker in Lok Sabha: લોકસભામાં સ્પીકર ઓમ બિરલા વિરુદ્ધ અવિશ્વાસ પ્રસ્તાવ પર ચર્ચા દરમિયાન વિપક્ષના સાંસદોએ સરકાર પર ખૂબ નિશાન સાધ્યું. તેમણે સ્પીકર ઓમ બિરલા પર પણ આરોપો લગાવ્યા. વિપક્ષના આરોપોને ખોટા ગણાવતા ગૃહમંત્રી અમિત શાહે કહ્યું કે, ગૌરવ સ્પીકરના મામલે ખોટી વ્યાખ્યા રાખી રહ્યા છે. આ દરમિયાન કોંગ્રેસ સાંસદ ગૌરવ ગોગોઈએ નરવણેના પુસ્તકનો મુદ્દો ઉઠાવતા સંસદમાં હોબાળો મચી ગયો હતો. હોબાળો વધતો જોઈને, સ્પીકરની ખુરશીમાં બેઠેલા ભાજપના સાંસદ જગદંબિકા પાલે સંસદને બપોરે 2 વાગ્યા સુધી સ્થગિત કરી દીધી હતી.

આજે વિપક્ષે લોકસભામાં સ્પીકર વિરુદ્ધ લાવવામાં આવેલા અવિશ્વાસ પ્રસ્તાવ પર ચર્ચા શરૂ કરી. કોંગ્રેસ સાંસદ ગૌરવ ગોગોઈએ પોતાના ભાષણ દરમિયાન સરકાર પર મોટા આરોપો લગાવ્યા. ગૌરવે કહ્યું કે, સ્પીકર નિષ્પક્ષ હોવા જોઈએ. તેમના માટે કોઈ પક્ષ કે વિપક્ષ ન હોવો જોઈએ. પરંતુ સ્પીકર નિષ્પક્ષ નથી. આ પ્રસ્તાવ કોઈ વ્યક્તિ વિરુદ્ધ નથી. અમે આ પ્રસ્તાવ લાવીને ખુશ નથી દુઃખી છીએ. અમારે મજબૂરીમાં આ પ્રસ્તાવ લાવવો પડ્યો. ગૌરવ ગોગોઈએ આરોપ લગાવ્યો કે, લોકસભામાં વિપક્ષના નેતાને સંસદમાં બોલવા દેવામાં આવતા નથી. તેમની સાથે લગભગ 20 વખત આવું કરવામાં આવ્યું છે. વિપક્ષના નેતાઓને બોલવા માટે માઈક નથી મળતો. હવે માઈકનો પણ હથિયારની જેમ ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. 

અમિત શાહે ગોગોઈના આરોપોને ખોટા ગણાવ્યા

ગૌરવે કહ્યું કે ગૃહની ગરિમાનું રક્ષણ કરવું એ અમારો ધર્મ છે. બસ આ જ ધર્મને નિભાવવા માટે આ પ્રસ્તાવ લાવવામાં આવ્યો છે. કારણ કે દેશને ખબર પડવી જોઈએ કે ગૃહ કેવી રીતે કાર્ય કરે છે. આ ગૃહના દરવાજા તમામ માટે ખુલ્લા છે. કેન્દ્ર સરકારને ઘેરતા ગૌરવે કહ્યું કે દેશનું વર્તમાન નેતૃત્વ નબળું છે, જે સાવલોથી ભાગી રહ્યું છે. સ્પીકરે વિપક્ષનો અવાજ દબાવ્યો છે. 

આ પણ વાંચો: કાળઝાળ ગરમી: અમદાવાદમાં આજે 'ઑરેન્જ ઍલર્ટ', રાજ્યમાં હીટવેવની આગાહી, પારો 41 ડિગ્રીને પાર પહોંચશે

આ વચ્ચે અમિત શાહે ગૌરવ ગોગોઈને અટકાવતા કહ્યું કે, 'ગૃહ જ્યારે ચૂંટણીમાં જાય છે ત્યારે પણ સ્પીકરની ઓફિસ ચાલુ રહે છે. આ પદ ક્યારેય ખાલી નથી રહેતું. હું ગોગોઈના ખોટા અર્થઘટનનું ખંડન કરવા માટે ઉભો થયો છું.' આ વચ્ચે સંસદ બપોરે 2:00 વાગ્યા સુધી સ્થગિત કરી દેવામાં આવી.

રવિશંકર પ્રસાદે વિપક્ષના આરોપોને પાયાવિહોણા ગણાવ્યા

આ પહેલા કોંગ્રેસના સાંસદ કે.સી. વેણુગોપાલે કહ્યું કે, સરકારે છેલ્લા ઘણા વર્ષોથી ડેપ્યુટી સ્પીકરની નિમણૂક નથી કરી, જેનાથી જેનાથી કોન્સ્ટિટ્યૂશનલ વૈક્યૂમ બની ગયો છે. ગૃહે એવી વ્યક્તિની પસંદગી કરવી જોઈએ જે પ્રસ્તાવની ચર્ચા દરમિયાન કાર્યવાહીની અધ્યક્ષતા કરે. ત્યારબાદ ભાજપ સાંસદ જગદંબિકા પાલની અધ્યક્ષતામાં અવિશ્વાસ પ્રસ્તાવની ચર્ચા શરૂ થઈ. આ દરમિયાન વિપક્ષે સ્પીકર પર અનેક આરોપો લગાવ્યા. સરકાર તરફથી રવિશંકર પ્રસાદે કહ્યું કે, વિપક્ષના આરોપો અને વાંધાઓ પાયાવિહોણા છે.

અવિશ્વાસ પ્રસ્તાવ પર ચર્ચા માટે 10 કલાક

સ્પીકર વિરુદ્ધ અવિશ્વાસ પ્રસ્તાવ પર ચર્ચા માટે ચેર પર બેસેલા ભાજપના સાંસદ જગદંબિકા પાલે કહ્યું કે, ચર્ચા માટે 10 કલાકનો સમય ફાળવવામાં આવ્યો છે અને સાંસદોને પ્રસ્તાવ પર વળગી રહેવા માટે કહ્યું છે. તેમણે કહ્યું કે, સ્પીકરે વિપક્ષના પ્રસ્તાવ માટે પરમિશન અને પ્રોસેસને લઈને ઉદારતા દેખાડી.