Get The App

CBSEમાં ‘ટ્રસ્ટ-ક્રાઈસિસ’! 11 લાખ ઉત્તરવહીઓ માટે ફરી મૂલ્યાંકન શરૂ, જાણો સ્ટેપ બાય સ્ટેપ પ્રોસેસ

Updated: May 29th, 2026

GS TEAM

Google News
Google News
CBSEમાં ‘ટ્રસ્ટ-ક્રાઈસિસ’! 11 લાખ ઉત્તરવહીઓ માટે ફરી મૂલ્યાંકન શરૂ, જાણો સ્ટેપ બાય સ્ટેપ પ્રોસેસ 1 - image


CBSE Class 12 Re-evaluation Opens 2026: CBSE ધોરણ 12ના પરિણામો જાહેર થયા બાદ સર્જાયેલો વિવાદ ખૂબ ચર્ચામાં છે. ‘ઓન-સ્ક્રીન માર્કિંગ’ (OSM) સિસ્ટમમાં રહેલી ખામીઓ અને પરિણામોમાં વિસંગતતાઓને કારણે લાખો વિદ્યાર્થીઓ અને વાલીઓમાં ભારે રોષ છે. બોર્ડે સત્તાવાર રીતે રી-ઇવેલ્યુએશન વિન્ડો ખોલી દીધી છે, જેના અંતર્ગત અત્યાર સુધીમાં 11 લાખથી વધુ ઉત્તરવહીઓની તપાસ માટે વિનંતીઓ આવી ચૂકી છે.

શું છે ઓન-સ્ક્રીન માર્કિંગ અને કેમ શરૂ થયો હતો વિવાદ? 

CBSEએ આ વર્ષે ધોરણ 12 માટે ‘ઓન-સ્ક્રીન માર્કિંગ’ સિસ્ટમ લાગુ કરી હતી. આ પદ્ધતિમાં શિક્ષકો ભૌતિક ઉત્તરવહીને બદલે ડિજિટલ સ્કેન કરેલી નકલો તપાસે છે. બોર્ડનો ઉદ્દેશ્ય તપાસ પ્રક્રિયાને ઝડપી અને પારદર્શક બનાવવાનો હતો, પરંતુ પરિણામો જાહેર થયા બાદ સોશિયલ મીડિયા પર ફરિયાદોનું પૂર આવ્યું હતું.

વિદ્યાર્થીઓના મુખ્ય આક્ષેપો:

- અસ્પષ્ટ અને અડધી-અધૂરી સ્કેન કરેલી ઉત્તરવહીઓ.

- કેટલાક જવાબો તપાસ્યા વગર જ છોડી દેવાયા હોવાની ફરિયાદો.

- ટોટલિંગમાં ગંભીર ભૂલો.

- ઓનલાઈન પોર્ટલ ક્રેશ થવાની સમસ્યા.

રીચેકિંગ માટેની નવી ફી : 

સ્કેન્ડ કોપી (Scanned Copy) : 100

માર્ક્સ વેરિફિકેશન : 100

રી-ઇવેલ્યુએશન (પ્રતિ પ્રશ્ન) : 25

જો રી-ઇવેલ્યુએશન પછી વિદ્યાર્થીના માર્ક્સમાં વધારો થાય છે, તો બોર્ડ દ્વારા ફી સંપૂર્ણપણે રિફંડ કરવામાં આવશે.

રી-ઇવેલ્યુએશન માટે કેવી રીતે અરજી કરવી?

સ્કેન્ડ કોપી મેળવો: સૌથી પહેલા તમારી ડિજિટલ ઉત્તરવહી ડાઉનલોડ કરો.

સૂક્ષ્મ નિરીક્ષણ: કોપીમાં જુઓ કે કોઈ પેજ બાકી તો નથી રહી ગયું ને, કે પછી કોઈ જવાબ અનચેક તો નથી?

વેરિફિકેશન: જો ટોટલિંગમાં ભૂલ જણાય તો વેરિફિકેશન માટે અરજી કરો.

રી-ઇવેલ્યુએશન: જો તમને લાગે કે કોઈ ચોક્કસ પ્રશ્નમાં અન્યાય થયો છે, તો પ્રતિ પ્રશ્ન Rs 25 ભરીને રી-ઇવેલ્યુએશન માટે અરજી કરો.