BNP Demands India to Extradite Sheikh Hasina : બાંગ્લાદેશમાં સામાન્ય ચૂંટણીમાં તારિક રહેમાનની પાર્ટી બાંગ્લાદેશ નેશનાલિસ્ટ પાર્ટી (BNP)એ પ્રચંત બહુમતી મેળવી છે. બીએનપીએ કુલ 299માંથી 212 બેઠકો પર જીત મેળવી છે, જ્યારે જમાત-એ-ઈસ્લામીએ 77 બેઠકો પર જીત નોંધાવી છે. જોકે ચિંતાજનક વાત એ છે કે, ચૂંટણી જીતતા જ BNPએ ભારત સમક્ષ એવી માંગ કરી છે, જે બંને દેશો વચ્ચે ટેન્શન ઉભું કરી શકે છે. વાસ્તવમાં BNPએ તેના કટ્ટર રાજકીય હરીફ અને પૂર્વ વડાંપ્રધાન શેખ હસીનાને ભારતમાંથી પ્રત્યાર્પિત કરવાની માંગ ફરીથી દોહરાવી છે. પાર્ટીનું કહેવું છે કે હસીનાએ બાંગ્લાદેશમાં મુકદ્દમાનો સામનો કરવો જોઈએ.
BNPએ હસીનાના પ્રત્યાર્પણની માંગ કરી
BNPની મોટી જીત થયાના થોડાંક જ સમયમાં પાર્ટીના સ્ટેન્ડિંગ કમિટીના સભ્ય સલાહુદ્દીન અહમદે કહ્યું કે, તેમની પાર્ટી હસીના વિરુદ્ધ કાયદાકીય કાર્યવાહી ચલાવવા માટે તેમને બાંગ્લાદેશ સોંપવાની ભારતને ઔપચારિક વિનંતી કરે છે. તેમણે કહ્યું કે, તેમની પાર્ટી સતત માંગ કરતી રહી છે કે, હસીનાને બાંગ્લાદેશ લાવીને કાયદા હેઠળ કેસનો સામનો કરાવવો જોઈએ. બંને દેશોના વિદેશ મંત્રાલયે મળીને કાયદાકીય પ્રક્રિયા હેઠળ આ મામલાનો નિવેડો લાવવો જોઈએ અને ભારત આ મામલે સહયોગ આપે તેવી આશા છે.
આ પણ વાંચો : વડાપ્રધાન મોદીએ તારિક રહેમાન સાથે કરી વાતચીત, BNPની પ્રચંડ જીત પર આપ્યો ખાસ મેસેજ
અમે તમામ દેશો સાથે મિત્રતા ઈચ્છીએ છીએ : અહમદ
અહમદે એવું પણ કહ્યું કે, ‘અમારો દેશ ભારત સહિત તમામ દેશો સાથે પરસ્પર સન્માન પરના મિત્રતા કરવા ઈચ્છે છે. ઉલ્લેખનીય છે કે, બાંગ્લાદેશમાં 12 ફેબ્રુઆરીએ ચૂંટણી યોજાઈ હતી. આ જ દિવસે શેખ હસીનાએ બાંગ્લાદેશને ચૂંટણીને દેખાડો કર્યો હતો અને ચૂંટણીને રદ કરવાની માંગ કરી કરી હતી. બીજીતરફ હસીના મામલે ભારતે પહેલેથી વલણ સ્પષ્ટ રહ્યું છે કે, ભારતને પ્રત્યાર્પણની વિનંતી મળી છે અને તેના પર કાયદાકીય તથા ન્યાયિક પ્રક્રિયા હેઠળ તપાસ કરવામાં આવી રહી છે.


