India

રાહુલ ગાંધીએ જે નેતાને 'ગદ્દાર' કહ્યા તેમને ભાજપ રાજ્યસભા નહીં મોકલે, કેબિનેટમાંથી પણ હટાવશે?

By GS Team
5 Jun 20263 mins read
TukuTouch Logo
ભારતીય જનતા પાર્ટી (BJP)એ ગુરુવારે રાજ્યસભા ચૂંટણી માટે પોતાના 11 ઉમેદવારોના નામ જાહેર કર્યા છે. આ ઉમેદવારો ગુજરાત, રાજસ્થાન, મધ્ય પ્રદેશ અને અરુણાચલ પ્રદેશની બેઠકો પરથી ચૂંટણી લડશે. રાજસ્થાનમાંથી ભાજપે સતીશ પૂનિયા અને અલકા ગુર્જરને ટિકિટ આપી છે. જોકે, આ યાદીમાં સૌથી મોટી ચોંકાવનારી વાત એ છે કે કેન્દ્રીય મંત્રી રવનીત સિંહ બિટ્ટુનું નામ ગાયબ છે. થોડા સમય પહેલાં જ સંસદમાં રાહુલ ગાંધી સાથે 'ગદ્દાર વિવાદ'ને કારણે ચર્ચામાં આવેલા બિટ્ટુને ભાજપ આ વખતે રાજ્યસભામાં નથી મોકલી રહ્યું. અહેવાલો મુજબ, ભાજપ હવે તેમને કેન્દ્રના બદલે પંજાબની રાજનીતિમાં મોટી જવાબદારી સોંપવા માંગે છે.

Summarized by AI; it may make mistakes. Check important info

રાહુલ ગાંધીએ જે નેતાને 'ગદ્દાર' કહ્યા તેમને ભાજપ રાજ્યસભા નહીં મોકલે, કેબિનેટમાંથી પણ હટાવશે?
(IMAGE - IANS)

BJP Drops Ravneet Bittu From Rajya Sabha List: ભારતીય જનતા પાર્ટી (BJP)એ ગુરુવારે રાજ્યસભા ચૂંટણી માટે પોતાના 11 ઉમેદવારોના નામ જાહેર કર્યા છે. આ ઉમેદવારો ગુજરાત, રાજસ્થાન, મધ્ય પ્રદેશ અને અરુણાચલ પ્રદેશની બેઠકો પરથી ચૂંટણી લડશે. રાજસ્થાનમાંથી ભાજપે સતીશ પૂનિયા અને અલકા ગુર્જરને ટિકિટ આપી છે. જોકે, આ યાદીમાં સૌથી મોટી ચોંકાવનારી વાત એ છે કે કેન્દ્રીય મંત્રી રવનીત સિંહ બિટ્ટુનું નામ ગાયબ છે. થોડા સમય પહેલાં જ સંસદમાં રાહુલ ગાંધી સાથે 'ગદ્દાર વિવાદ'ને કારણે ચર્ચામાં આવેલા બિટ્ટુને ભાજપ આ વખતે રાજ્યસભામાં નથી મોકલી રહ્યું. અહેવાલો મુજબ, ભાજપ હવે તેમને કેન્દ્રના બદલે પંજાબની રાજનીતિમાં મોટી જવાબદારી સોંપવા માંગે છે.

રાહુલ ગાંધી સાથેનો એ 'ગદ્દાર વિવાદ'

આ વર્ષે ફેબ્રુઆરી મહિનામાં સંસદ પરિસરમાં એક મોટો રાજકીય વિવાદ ઊભો થયો હતો, જ્યારે કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ કેન્દ્રીય મંત્રી રવનીત સિંહ બિટ્ટુને 'ગદ્દાર દોસ્ત' કહીને સંબોધ્યા હતા. રાહુલ ગાંધીનો ઈશારો બિટ્ટુ દ્વારા કોંગ્રેસ છોડીને ભાજપમાં સામેલ થવા તરફ હતો. લોકસભા ચૂંટણી પહેલા જ રવનીત બિટ્ટુ ભાજપમાં જોડાયા હતા. આ ટિપ્પણી બાદ બંને નેતાઓ વચ્ચે તીખી બોલાચાલી થઈ હતી અને બિટ્ટુએ રાહુલ ગાંધીને દેશના દુશ્મન ગણાવ્યા હતા. આ ઘટનાને ભાજપે શીખ સમુદાયના અપમાન સાથે જોડીને મોટો રાજકીય મુદ્દો બનાવ્યો હતો.

પંજાબની રાજનીતિમાં સક્રિય થવાના સંકેત

સંસદમાં લોકસભા અને રાજ્યસભાના સભ્ય તરીકે લગભગ 17 વર્ષ વિતાવ્યા બાદ, રવનીત સિંહ બિટ્ટુએ પોતે જ હવે પંજાબની જનતા માટે કામ કરવાની ઈચ્છા વ્યક્ત કરી છે. આ મહિનાના અંતમાં તેમનો રાજ્યસભાનો કાર્યકાળ પૂરો થઈ રહ્યો છે ત્યારે તેમણે સંકેત આપ્યો છે કે તેઓ આગામી પંજાબ વિધાનસભા ચૂંટણી લડવા માંગે છે. પંજાબ ભાજપના કાર્યક્રમમાં તેમણે કહ્યું હતું કે, 'દિલ્હીમાં 17 વર્ષ થઈ ગયા, હવે મને પંજાબ વિધાનસભામાં આવીને રાજ્યના ગામડાઓ અને ગલીઓમાં લોકો માટે કામ કરવાનું મન થઈ રહ્યું છે.' રવનીત બિટ્ટુ કોંગ્રેસની ટિકિટ પર ત્રણ વખત લોકસભા સાંસદ રહી ચૂક્યા છે, પરંતુ લોકસભા ચૂંટણી હાર્યા બાદ પણ ભાજપે તેમને કેન્દ્રમાં મંત્રી બનાવ્યા હતા.

આ પણ વાંચો: ઈન્ડિગોએ થાઈલેન્ડ-મલેશિયા સહિત 6 ઈન્ટરનેશનલ રુટની ઉડાન બંધ કરી, મોંઘવારી નડી!

મોદી કેબિનેટમાંથી પણ થશે રવનીત બિટ્ટુની રજા?

પીએમ મોદી ટૂંક સમયમાં જ કેન્દ્રીય કેબિનેટનું વિસ્તરણ કરી શકે છે તેવી અટકળો રાજકીય વર્તુળોમાં તેજ બની છે. લોકસભા ચૂંટણી બાદ આ મોદી સરકારનું પ્રથમ કેબિનેટ વિસ્તરણ હશે, જેમાં કેટલાક નવા ચેહરાઓને તક મળી શકે છે. સૂત્રોના જણાવ્યા અનુસાર, આ વિસ્તરણ દરમિયાન રવનીત સિંહ બિટ્ટુની મંત્રીમંડળમાંથી રજા થઈ શકે છે, કારણ કે નિયમ મુજબ મંત્રી પદ પર રહેવા માટે સંસદના કોઈ પણ ગૃહના સભ્ય હોવું અનિવાર્ય છે. પંજાબમાં આગામી વર્ષે વિધાનસભા ચૂંટણી યોજાવાની છે, તેથી ભાજપ બિટ્ટુને ત્યાં મોટી જવાબદારી સોંપી શકે છે. પંજાબમાં હાલ મુખ્ય મુકાબલો આમ આદમી પાર્ટી અને કોંગ્રેસ વચ્ચે છે, પરંતુ ભાજપ પણ ત્યાં પોતાનું જોર લગાવી રહી છે.