India

આસામમાં મોબ લિંચિંગનાં કેસમાં ૨૦ લોકોને આજીવન કેદ

By GS TEAM
24 Apr 20261 min read
આસામમાં મોબ લિંચિંગનાં કેસમાં ૨૦ લોકોને આજીવન કેદ


(પીટીઆઇ)     નગાંવ, તા. ૨૪

આસામનાં નગાંવની એક કોર્ટે શુક્રવારે આઠ વર્ષ પહેલાની ઘટનામાં  કાર્બી આંગલોંગમાં  બે પુરુષોને મારીને હત્યા (લિંચિંગ) કરવાનાં કેસમાં દોષિત ઠેરવવામાં આવેલા તમામ ૨૦ લોકોને આજીવન કેદની સજા ફટકારી છે.

ડિસ્ટ્રિક્ટ સેશન્સ જજ ડી જે મહંતે દોષિતોને ૨૦,૦૦૦ રૃપિયાનો દંડ પણ ફટકાર્યો છે. આ બંનેનું  ૨૦૧૮માં બાળકોને ઉઠાવી જવાની શંકા હેઠળ લિંચિંગ કરવામાં આવ્યું હતું.

કોર્ટે સોમવારે આ કેસમાં આરોપી ૪૫ લોકોમાંથી ૨૦ને ઇન્ડિયન પિનલ કોડ (આઇપીસી)ની અલગ કલમ હેઠળ દોષિત ઠેરવવામાં આવ્યા હતાં.

કુલ ૪૮ લોકોની ધરપકડ કરવામાં આવી હતી અને અન્ય ત્રણ સગીર આરોપીઓને જોરહાટ કિશોર ગૃહમાં રાખવામાં આવ્યા હતાં.

ન્યાયમૂર્તિએ જણાવ્યું હતું કે સુનાવણી દરમિયાન રજૂ કરવામાં આવેલી સ્થિતિ અને પુરાવાઓ દર્શાવે છે કે આ કેસ રેરેસ્ટ ઓફ રેર કેટેગરીમાં આવતો નથી.

તેમણે જણાવ્યું હતું કે ૨૦ આરોપીઓ માટે એક માત્ર સજા આજીવન કઠોર કેદ છે  અને પ્રત્યેક પર ૨૦,૦૦૦ રૃપિયાનો દંડ છે.

કોર્ટે જણાવ્યું હતું કે તપાસ અને કેસ ચાલવા સુધી દોષિતોએ જેલમાં પસાર કરેલો સમયને આપવામાં આવેલી સજાનાં સમયગાળામાંથી ઘટાડી દેવામાં આવશે.