India

બિલ પાસ કરાવવા માટે TMCના 20 સાંસદોને ભાજપમાં લાવશે સરકાર! કોંગ્રેસ નેતાના દાવાથી ખળભળાટ

By GS Team
13 Jun 20262 mins read
TukuTouch Logo
પશ્ચિમ બંગાળમાં વિધાનસભા ચૂંટણી બાદથી રાજકીય હલચલ તેજ છે. તૃણમૂલ કોંગ્રેસ (TMC) ના કેટલાક સાંસદોમાં ભભૂકેલી બળવાની આગ હવે લોકસભા સુધી પહોંચી ગઈ છે. બળવાખોર સાંસદો લોકસભા સ્પીકર સાથે મુલાકાત કરવાના છે. આ વચ્ચે કોંગ્રેસ નેતા અધીર રંજન ચૌધરીએ તેને ભાજપની ચાલ ગણાવતા મોટો દાવો કર્યો છે. તેમનું કહેવું છે કે, ભાજપ કોઈપણ રીતે પોતાના નંબરો (સાંસદોની સંખ્યા) વધારીને બિલ પાસ કરાવવા માગે છે.

Summarized by AI; it may make mistakes. Check important info

બિલ પાસ કરાવવા માટે TMCના 20 સાંસદોને ભાજપમાં લાવશે સરકાર! કોંગ્રેસ નેતાના દાવાથી ખળભળાટ

West Bengal politics: પશ્ચિમ બંગાળમાં વિધાનસભા ચૂંટણી બાદથી રાજકીય હલચલ તેજ છે. તૃણમૂલ કોંગ્રેસ (TMC) ના કેટલાક સાંસદોમાં ભભૂકેલી બળવાની આગ હવે લોકસભા સુધી પહોંચી ગઈ છે. બળવાખોર સાંસદો લોકસભા સ્પીકર સાથે મુલાકાત કરવાના છે. આ વચ્ચે કોંગ્રેસ નેતા અધીર રંજન ચૌધરીએ તેને ભાજપની ચાલ ગણાવતા મોટો દાવો કર્યો છે. તેમનું કહેવું છે કે, ભાજપ કોઈપણ રીતે પોતાના નંબરો (સાંસદોની સંખ્યા) વધારીને બિલ પાસ કરાવવા માગે છે.

અધીર રંજને સ્પષ્ટ શબ્દોમાં કહ્યું કે, આ સાંસદ જાણે છે કે, TMC સાથે રહીને આગામી ચૂંટણી જીતવી મુશ્કેલ છે. તેથી તેઓ ભાજપમાં સામેલ થઈને નવી ટિકિટ મેળવવાના પ્રયાસમાં છે. આ લોકો આગામી 3 વર્ષ સુધી ભાજપની સેવામાં રહેશે. 

TMCમાં વધતી નારાજગી

પશ્ચિમ બંગાળમાં TMCનો આંતરિક વિખવાદ લાંબા સમયથી ચાલી રહ્યો છે. ઘણા સાંસદો પાર્ટીની કાર્યપદ્ધતિથી નારાજ હોવાનું કહેવાય છે. કેટલાક સાંસદોએ જાહેરમાં પોતાનો અસંતોષ વ્યક્ત કર્યો છે, તો કેટલાક લોકો મૌન જાળવીને ભાજપ તરફ જોઈ રહ્યા છે. લોકસભા સ્પીકર સાથેની મુલાકાતનો અર્થ સ્પષ્ટ છે કે, આ સાંસદો પોતાની ફરિયાદો રજૂ કરવા માગે છે અથવા તો પાર્ટી લાઇનથી અલગ વલણ અપનાવવાની તૈયારી કરી રહ્યા છે.



ભાજપ-TMC વચ્ચે ઘમાસાણ

રાજકીય વિશ્લેષકોનું માનવું છે કે, બંગાળમાં ભાજપ અને TMC વચ્ચેનું ઘમાસણ 2026ની વિધાનસભા ચૂંટણીને લઈને પહેલેથી જ તેજ થઈ ગયું છે. આવી સ્થિતિમાં સાંસદોનું પક્ષપલટો કરવું એ કોઈ નવી વાત નથી. પરંતુ આ વખતે આ મામલો લોકસભા સુધી પહોંચી ગયો છે, જે બંને પક્ષો માટે ખૂબ જ મહત્વપૂર્ણ છે.

ભાજપની વ્યૂહરચના પર અધીરનો આરોપ

અધીર રંજન ચૌધરીએ ભાજપ પર આરોપ લગાવતા કહ્યું કે 'ભાજપને પોતાના બિલ પાસ કરાવવા માટે લોકસભામાં વધુ સંખ્યાબળની જરૂર છે. એટલા માટે જ તે TMCના સાંસદોને પોતાની તરફ ખેંચી રહી છે. આ સાંસદો એવું વિચારી રહ્યા છે કે TMC સાથે રહીને તેમનું ભવિષ્ય સુરક્ષિત નથી.આગામી ચૂંટણી TMCની ટિકિટ પર જીતવી અશક્ય છે, તેથી ભાજપનો રસ્તો અપનાવવો જ તેમના માટે ફાયદાકારક છે.'

આ પણ વાંચો: Explainer: ભારતમાં E22 થી E30 ફ્યૂઅલનો રોડમેપ, જાણો ડ્યુટી ઘટાડ્યા પછી સામાન્ય ગ્રાહકોને કેટલો ફાયદો

શું છે આખો ખેલ?

રાજકારણમાં આ રીતે પક્ષપલટો કરવો એ સામાન્ય બાબત છે, પરંતુ સમય હંમેશાં ખૂબ મહત્વનો હોય છે. હાલમાં કેન્દ્રમાં ભાજપની સરકાર છે અને કેટલાક મહત્વપૂર્ણ બિલ આવવાના બાકી છે. જો TMCના કેટલાક સાંસદો ભાજપ સાથે જતા રહેશે તો વિપક્ષની તાકાત નબળી પડી શકે છે. જોકે, TMC તરફથી હજુ સુધી આ અંગે કોઈ સત્તાવાર નિવેદન નથી આવ્યું. પાર્ટીના સૂત્રોનું કહેવું છે કે, કેટલાક સાંસદો માત્ર પોતાની વ્યક્તિગત ફરિયાદો જ સ્પીકર સમક્ષ રજૂ કરી રહ્યા છે. પરંતુ વિપક્ષ આ આખી ઘટનાને એક મોટા ષડયંત્ર તરીકે જોઈ રહ્યો છે.