વિદ્યાર્થીઓ માટે પણ હવે એમએસઆરટીસી સ્માર્ટ કાર્ડ ફરજિયાત
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

એસટી પ્રતિનિધિઓ શાળાઓમાં આવશે
એસટીના બસભાડામાં રાહત મેળવવા પાત્ર તમામ પ્રવાસીએ પહેલી સપ્ટેમ્બરથી આ કાર્ડ વાપરવું જરુરી
મુંબઈ - મહારાષ્ટ ્ર સ્ટેટ રોડ ટ્રાન્સપોર્ટ કોર્પોરેશન (એમએસઆરટીસી)ના નેશનલ કોમન મોબિલિટી કાર્ડ માટે રજીસ્ટ્રેશનનો આંકડો એક કરોડ એક લાખને પાર પહોંચ્યો છે. અત્યારસુધીમાં ૬૫.૯૧ લાખ કાર્ડ કાર્યરત (એક્ટિવ) થયા છે. હવે વિદ્યાર્થીઓને પણ આ યોજનામાં સમાવવાના હોવાથી તેમનું રજીસ્ટ્રેશન ૧૫ ઑગસ્ટથી શરુ કરવામાં આવશે. જેથી વિદ્યાર્થીઓ પણ આ સ્માર્ટ કાર્ડનો લાભ લઈ શકશે.
વિદ્યાર્થીઓએ આ કાર્ડના રજીસ્ટ્રેશન માટે ક્યાંય જવાનું નથી. એસટીના પ્રતિનિધિઓ દ રેક શાળામાં જઈ વિદ્યાર્થીઓનું રજીસ્ટ્રેશન કરશે. મોટી સંખ્યામાં કાર્ડનું રજીસ્ટ્રેશન થયું હોવાથી હવે વિદ્યાર્થીઓને પણ આ વ્યવસ્થામાં સામેલ કરવામાં આવી રહ્યા છે.
પહેલી સપ્ટેમ્બરથી એનસીએમસી સ્માર્ટ કાર્ડ ફરજિયાત બનાવવામાં આવવાના હોવાથી વિદ્યાર્થીઓએ પણ સમયસર રજીસ્ટ્રેશન કરાવી કાર્ડ કાર્યરત કરાવવું જરુરી બનશે. એક કરોડથી વધુ લોકો કે જેઓ એસટીના પ્રવાસમાં વિવિધ રાહત માટે પાત્ર છે, તેમણે આ કાર્ડ માટે રજીસ્ટ્રેશન કરાવ્યું છે. વિદ્યાર્થીઓને પણ એસટીના પ્રવાસમાં છૂટછાટ મળતી હોવાથી તેમણે પણ સંબંધિત રકમનું ટોપ-અપ કરાવવાનું રહેશે. પરંતુ દરેક રાહતપાત્ર પ્રવાસીએ આ કાર્ડ પહેલી સપ્ટેમ્બરથી વાપરવું ફરજિયાત છે.









