Lifestyle & Fashion

ઉનાળામાં કૂલરમાંથી આવતી ગંદી વાસથી છો પરેશાન? અપનાવો આ સરળ ટિપ્સ અને મેળવો તાજી ઠંડી હવા

By GS Team
21 Apr 20262 mins read
TukuTouch Logo
ઉનાળાની કાળઝાળ ગરમીમાં એસીના વિકલ્પ તરીકે ઘણા ઘરોમાં કૂલરનો ઉપયોગ કરવામાં આવે છે. કૂલર ન માત્ર વીજળીની બચત કરે છે, પરંતુ પાણીને કારણે રૂમને જલ્દી ઠંડો પણ કરે છે. જોકે, કૂલર વાપરતા લોકોની એક સામાન્ય ફરિયાદ એ હોય છે કે થોડા દિવસો પછી કૂલરમાંથી ગંદી કે વિચિત્ર પ્રકારની બદબૂ આવવા લાગે છે. આ ગંદી વાસને કારણે રૂમમાં બેસવું પણ મુશ્કેલ બની જાય છે. જો તમે પણ આ સમસ્યાથી પરેશાન છો, તો કેટલાક સરળ ઉપાયો દ્વારા તેનાથી છુટકારો મેળવી શકાય છે.

Summarized by AI; it may make mistakes. Check important info

ઉનાળામાં કૂલરમાંથી આવતી ગંદી વાસથી છો પરેશાન? અપનાવો આ સરળ ટિપ્સ અને મેળવો તાજી ઠંડી હવા

Cooler Water Smell: ઉનાળાની કાળઝાળ ગરમીમાં એસીના વિકલ્પ તરીકે ઘણા ઘરોમાં કૂલરનો ઉપયોગ કરવામાં આવે છે. કૂલર ન માત્ર વીજળીની બચત કરે છે, પરંતુ પાણીને કારણે રૂમને જલ્દી ઠંડો પણ કરે છે. જોકે, કૂલર વાપરતા લોકોની એક સામાન્ય ફરિયાદ એ હોય છે કે થોડા દિવસો પછી કૂલરમાંથી ગંદી કે વિચિત્ર પ્રકારની બદબૂ આવવા લાગે છે. આ ગંદી વાસને કારણે રૂમમાં બેસવું પણ મુશ્કેલ બની જાય છે. જો તમે પણ આ સમસ્યાથી પરેશાન છો, તો કેટલાક સરળ ઉપાયો દ્વારા તેનાથી છુટકારો મેળવી શકાય છે.

દર 2-3 દિવસે પાણી બદલવાનો આગ્રહ રાખો

કૂલરમાંથી આવતી ગંદી વાસનું મુખ્ય કારણ તેમાં ભરાઈ રહેલું જૂનું પાણી છે. ઘણીવાર લોકો ઘણા દિવસો સુધી કૂલરનું પાણી બદલતા નથી, જેના કારણે તેમાં બેક્ટેરિયા અને ફૂગ પેદા થાય છે. આથી, કૂલરમાંથી તાજી હવા મેળવવા માટે દર 2-3 દિવસે તેનું પાણી બદલવું ખૂબ જ જરૂરી છે. આ ઉપરાંત, જ્યારે પણ તમે કૂલરની સફાઈ કરો ત્યારે પાણીમાં થોડું સફેદ વિનેગર અથવા લીંબુનો રસ ભેળવીને સફાઈ કરવી જોઈએ. લીંબુ અને વિનેગર કુદરતી રીતે બેક્ટેરિયાનો નાશ કરે છે અને કૂલરમાંથી આવતી દુર્ગંધ દૂર કરીને તાજગી ભરેલી હવા આપે છે.

આ પણ વાંચો: ચાણક્ય નીતિ: વધારે પડતા 'ભલા' હોવું પણ જોખમી! થોડું 'ચાલાક' બનવું જરૂરી, આ સલાહ એકવાર જરૂર વાંચજો

અઠવાડિયામાં એકવાર કૂલરને તડકામાં રાખવું જરૂરી

માત્ર પાણી બદલવું પૂરતું નથી, કૂલરની જાળી એટલે કે તેના પેડ્સ(Pads)ની સફાઈ પણ એટલી જ મહત્ત્વની છે. જો પેડ્સ જૂના અને ગંદા થઈ ગયા હોય, તો તેમાંથી પણ વાસ આવવા લાગે છે. આથી સમયાંતરે પેડ્સને ધોવા જોઈએ અથવા જરૂર જણાય તો નવા લગાવી દેવા જોઈએ. વધુમાં, અઠવાડિયામાં એકવાર કૂલરને સાફ કરીને થોડા કલાકો માટે તડકામાં રાખવું જોઈએ. સૂર્યપ્રકાશને કારણે કૂલરમાં રહેલી ફૂગ અને બેક્ટેરિયા કુદરતી રીતે નાશ પામે છે, જેનાથી બીમારીઓનો ખતરો ઘટે છે અને કૂલર લાંબા સમય સુધી સ્વચ્છ રહે છે.