World

અમેરિકાનો લાલચી પ્લાન: જેડી વેન્સે કહ્યું, ‘જો ઈરાનને ફ્રીઝ થયેલી સંપત્તિ જોઈતી હોય તો...’

By GS Team
22 Jun 20262 mins read
TukuTouch Logo
અમેરિકાના ઉપપ્રમુખ જેડી વેન્સે ઈરાન ડીલને લઈને ઘણી મહત્ત્વપૂર્ણ સફળતાઓનો ઉલ્લેખ કર્યો છે. તેમણે કહ્યું કે, અમેરિકા ઈરાનની ફ્રીઝ સંપત્તિઓ મુક્ત કરી શકે છે, પરંતુ અમેરિકાએ આ માટે શરતો મૂકી છે. આ શરતો અમેરિકાનો 'લાલચી પ્લાન' દર્શાવે છે.

Summarized by AI; it may make mistakes. Check important info

અમેરિકાનો લાલચી પ્લાન: જેડી વેન્સે કહ્યું, ‘જો ઈરાનને ફ્રીઝ થયેલી સંપત્તિ જોઈતી હોય તો...’

US Iran Deal: અમેરિકાના ઉપપ્રમુખ જેડી વેન્સે ઈરાન ડીલને લઈને ઘણી મહત્ત્વપૂર્ણ સફળતાઓનો ઉલ્લેખ કર્યો છે. તેમણે કહ્યું કે, અમેરિકા ઈરાનની ફ્રીઝ સંપત્તિઓ મુક્ત કરી શકે છે, પરંતુ અમેરિકાએ આ માટે શરતો મૂકી છે. આ શરતો અમેરિકાનો 'લાલચી પ્લાન' દર્શાવે છે.

અમેરિકાનો 'લાલચી પ્લાન' અંગે જેડી વેન્સે શું કહ્યું?

જેડી વેન્સે કહ્યું કે, જો ઈરાન અમેરિકન સોયા, મકાઈ અને ઘઉં ખરીદે તો તેની ફ્રીઝ સંપત્તિ મુક્ત થઈ શકે છે. યુએસ વહીવટીતંત્રે છેલ્લા ઘણા વર્ષોમાં વિશ્વભરમાં ઈરાનની અબજો ડોલરની સંપત્તિ ફ્રીઝ કરી છે. જો ઈરાની સરકારનું કોઈ પણ નાણાં મુક્ત કરવામાં આવે છે, તો તેનો ઉપયોગ યુએસ અર્થતંત્રને ટેકો આપવા અને અમેરિકન ખેડૂતોને સમૃદ્ધ બનાવવા માટે કરવામાં આવશે. અમે ખાતરી કરવા માંગતા હતા કે અમે એક એવી પ્રક્રિયા બનાવીએ જેથી જો આપણે ક્યારેય ઈરાનની ફ્રીઝ સંપત્તિને અનફ્રીઝ કરીએ, તો અમે ખાતરી કરી શકીએ કે તે નાણાં ઈરાનના લોકોને મદદ કરવા માટે જાય, આતંકવાદને પ્રોત્સાહન આપવા માટે નહીં.'

તેમણે કહ્યું કે, 'જો કોઈ પણ ફ્રીઝ ઈરાની સંપત્તિને અનફ્રીઝ કરવામાં આવે છે, તો અમે તે પ્રક્રિયાને મંજૂરી આપીશું. આ પછી તે પૈસાનો ઉપયોગ અમેરિકન સોયાબીન, મકાઈ અને ઘઉં ખરીદવા માટે કરવામાં આવશે. જો ઈરાનની સંપત્તિ ક્યારેય અનફ્રીઝ કરવામાં આવે છે, તો તે અમેરિકન ખેડૂતોને સમૃદ્ધ બનાવશે અને ઈરાની લોકોને ખોરાક પૂરો પાડશે.'

જેડી વેન્સ સ્વિટ્ઝર્લૅન્ડના લ્યુસર્ન શહેરમાં ચાલી રહેલી વાટાઘાટોમાં યુએસ પક્ષનું નેતૃત્વ કરી રહ્યા હતા. તેમણે કહ્યું કે, ઈરાન આંતરરાષ્ટ્રીય પરમાણુ ઉર્જા એજન્સી (IAEA) દ્વારા તેના પરમાણુ સુવિધાઓનું નિરીક્ષણ કરાવવા માટે સંમત થયું છે. IAEA ના અધિકારીઓ એક અઠવાડિયાની અંદર ઈરાનની મુલાકાત લઈને તેની પરમાણુ સુવિધાઓનું નિરીક્ષણ શરૂ કરી શકે છે.

યુએસ-ઈરાન સંબંધોની દ્રષ્ટિએ મહત્ત્વપૂર્ણ જાહેરાત

યુએસ-ઈરાન સંબંધોની દ્રષ્ટિએ આ એક મહત્ત્વપૂર્ણ જાહેરાત છે. સ્વિટ્ઝર્લૅન્ડમાં વાટાઘાટો બાદ વેન્સે કહ્યું કે, 'IAEA નિરીક્ષકોનું પરત ફરવાથી ઈરાનના પરમાણુ કાર્યક્રમનું આંતરરાષ્ટ્રીય દેખરેખ ફરી શરૂ કરવામાં મદદ મળશે અને વોશિંગ્ટન અને તેહરાન વચ્ચે એક મોટા કરાર માટે માર્ગ મોકળો થઈ શકે છે.'

ઉલ્લેખનીય છે કે, છેલ્લા યુદ્ધ દરમિયાન અમેરિકાએ ત્રણ ઈરાની પરમાણુ કેન્દ્રો ઇસ્ફહાન, નતાન્ઝ અને ફોર્દોનો સમાવેશ થાય છે. બી-૨ બોમ્બર વિમાનનો ઉપયોગ કરીને કરવામાં આવેલા આ હુમલામાં અમેરિકાએ દાવો કર્યો હતો કે ઈરાનના સમૃદ્ધ યુરેનિયમને ભૂગર્ભમાં દફનાવવામાં આવ્યું હતું. ટ્રમ્પ આને ન્યુક્લીયર ડસ્ટ કહે છે અને તેનો નિકાલ કરીને અમેરિકાના કબજામાં લેવાનો દાવો કરે છે.

સોમવારે(22 જૂન) જે.ડી. વેન્સે જણાવ્યું હતું કે, ઈરાન સાથે શાંતિ વાટાઘાટોએ ફેબ્રુઆરીના અંતમાં શરૂ થયેલા યુદ્ધને સમાપ્ત કરવા માટે સફળ અંતિમ સોદા માટે સારો પાયો નાખ્યો છે. અંતિમ ડીલ વાસ્તવિક સીમાચિહ્નરૂપ છે. અમે પાયો નાખ્યો છે. અમે ઘર બનાવ્યું નથી, પરંતુ અમે અમેરિકન લોકો માટે સારી પરિસ્થિતિ સુધી પહોંચવા માટે સફળ પાયો નાખ્યો છે.