World

નેપાળમાં અચાનક આવેલા વિનાશક પૂરનું 'અસલ કારણ' સામે આવ્યું, જાણો વિજ્ઞાનીઓએ શું કહ્યું?

By GS Team
27 Aug 20262 mins read
TukuTouch Logo
નેપાળમાં બુધવારે સવારે અચાનક પૂર આવતા ભારે તબાહી સર્જાઈ છે. કાઠમંડુથી 40 માઇલ ઉત્તરે 17,000 ફીટની ઊંચાઈએથી બરફનો વિશાળ ટુકડો 4,000 ફીટ નીચે ઘાટીમાં ખાબકતા આ હોનારત સર્જાઈ. 'આઇસ એવલાંચ'ને કારણે ભૂકંપ જેવા સિગ્નલ નોંધાયા હતા. આ દુર્ઘટનામાં અનેક લોકોના મોત થયા છે અને 1000થી વધુ ગુમ છે. વૈજ્ઞાનિકો તેને ગ્લોબલ વોર્મિંગની અસર માની રહ્યા છે.

Summarized by AI; it may make mistakes. Check important info

નેપાળમાં અચાનક આવેલા વિનાશક પૂરનું 'અસલ કારણ' સામે આવ્યું, જાણો વિજ્ઞાનીઓએ શું કહ્યું?

Nepal Flash Flood 2026 : નેપાળમાં બુધવારે આવેલી અચાનક પૂરની હોનારતે ભારે તબાહી મચાવી છે. આ જળપ્રલયમાં અત્યાર સુધીમાં અનેક લોકોના મોત થયા છે અને 1000 થી વધુ લોકો ગુમ હોવાના અહેવાલ છે. વરસાદ કે ભૂકંપ વિના અચાનક આવેલી આ આફત અંગે ભૂવૈજ્ઞાનિકો અને ગ્લેશિયોલોજિસ્ટ્સે ખુલાસો કર્યો છે કે રાજધાની કાઠમંડુથી 40 માઇલ ઉત્તરમાં આવેલા ગ્લેશિયર પરથી બરફનો એક વિશાળ ટુકડો અચાનક તૂટી પડ્યો હતો. વૈજ્ઞાનિક ભાષામાં આ ઘટનાને 'આઇસ એવલાંચ' (બરફનું ભૂસ્ખલન) કહેવામાં આવે છે.

17,000 ફીટની ઊંચાઈએથી 4,000 ફીટ નીચે ખાબક્યો બરફનો પહાડ

કેનેડાની યુનિવર્સિટી ઓફ કેલગરીના ભૂવૈજ્ઞાનિક ડેનિયલ શુગર અને સ્કોટલેન્ડની ડંડી યુનિવર્સિટીના સાયમન કૂકના વિશ્લેષણ મુજબ, લગભગ 17,000 ફીટની ઊંચાઈએથી 2,000 ફીટ પહોળો બરફનો ટુકડો તૂટીને 4,000 ફીટ નીચે ઘાટીમાં ખાબક્યો હતો. એટલી ઊર્જા સાથે બરફ નીચે પડ્યો કે તે પીસાઈને પાણી અને કાંપના મિશ્રણમાં ફેરવાઈ ગયો હતો. સેટેલાઇટ તસવીરોમાં ઘાટીના નીચલા ભાગમાં મોટો વિસ્ફોટ થયો હોય તેવા દ્રશ્યો સામે આવ્યા છે. આ પાણી અને કાટમાળનો પ્રવાહ ભોટે કોશી નદી તરફ આગળ વધ્યો હતો.

ભૂકંપ નહીં પણ લેન્ડસ્લાઇડની પ્રચંડ તાકાતથી સિસ્મિક સિગ્નલ સર્જાયા

શરૂઆતમાં યુનાઇટેડ સ્ટેટ્સ જીઓલોજિકલ સરવે (USGS) એ 4.4 ની તીવ્રતાના ભૂકંપનો ડેટા નોંધ્યો હતો, પરંતુ પાછળથી સ્પષ્ટતા કરવામાં આવી કે આ કોઈ કુદરતી ભૂકંપ નહોતો. બરફના પહાડ તૂટી પડવાના પ્રચંડ આઘાતના કારણે સિસ્મિક સિગ્નલ પેદા થયા હતા, જેની અસર 5.2 મેગ્નેટ્યુડ જેટલી હતી. ગ્રેનોબલ એલ્પ્સ યુનિવર્સિટીના વૈજ્ઞાનિક ક્રિસ્ટન કૂકના જણાવ્યા અનુસાર, સવારે 8:40 વાગ્યે સ્થાનિક સિસ્મિક રીડર્સમાં આ મોટી ઘટના નોંધાઈ હતી.

તાપમાનમાં વધારો અને ગ્લોબલ વોર્મિંગની ગંભીર અસર

વૈજ્ઞાનિકોનું માનવું છે કે આબોહવા પરિવર્તન (Climate Change) અને સતત વધી રહેલું તાપમાન આ ગ્લેશિયર તૂટવા પાછળનું મહત્ત્વનું કારણ હોઈ શકે છે. ઘટનાના એક દિવસ પહેલાં સેટેલાઇટ ઇમેજમાં આ વિસ્તારમાંથી બરફનું કવર ઝડપથી ગાયબ થતું જોવા મળ્યું હતું. વર્ષ 2021 માં ભારતના ઉત્તરાખંડમાં પણ આવી જ રીતે હિમાલયનું ગ્લેશિયર તૂટવાથી 100 થી વધુ લોકોએ જીવ ગુમાવ્યો હતો.