World

દક્ષિણ ઈરાનમાં મોટી દુર્ઘટના, બેકાબુ બસ પલટતાં 21 લોકોના મોત, અંદાજિત 34 ઈજાગ્રસ્ત

By GS TEAM
19 Jul 20252 mins read
TukuTouch Logo
દક્ષિણ ઈરાનમાં એક બસ પલટતાં ઓછામાં ઓછા 21 લોકોના મોત થયા છે, જ્યારે 34 લોકો ઈજાગ્રસ્ત થઈ ગયા છે. આ માહિતી ઈરાનની સરકારી મીડિયાએ શનિવારે આપી હતી. આ દુર્ઘટના ફાર્સની રાજધાની શીરાજના દક્ષિણમાં બની હતી. ફાર્સના ઈમરજન્સી સંગઠનના પ્રમુખ મસૂદ આબેદે જણાવ્યું કે, દુર્ઘટના સવારે 11:05 વાગ્યે બની હતી. દુર્ઘટનાની માહિતી મળતાં જ બચાવ ટીમ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી.

Summarized by AI; it may make mistakes. Check important info

દક્ષિણ ઈરાનમાં મોટી દુર્ઘટના, બેકાબુ બસ પલટતાં 21 લોકોના મોત, અંદાજિત 34 ઈજાગ્રસ્ત

Iran Bus Accident: દક્ષિણ ઈરાનમાં એક બસ પલટતાં ઓછામાં ઓછા 21 લોકોના મોત થયા છે, જ્યારે 34 લોકો ઈજાગ્રસ્ત થઈ ગયા છે. આ માહિતી ઈરાનની સરકારી મીડિયાએ શનિવારે આપી હતી. આ દુર્ઘટના ફાર્સની રાજધાની શીરાજના દક્ષિણમાં બની હતી. ફાર્સના ઈમરજન્સી સંગઠનના પ્રમુખ મસૂદ આબેદે જણાવ્યું કે, દુર્ઘટના સવારે 11:05 વાગ્યે બની હતી. દુર્ઘટનાની માહિતી મળતાં જ બચાવ ટીમ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી.

કેવી રીતે બની દુર્ઘટના?

પ્રાથમિક માહિતી અનુસાર, એક મુસાફર બસ જે શીરાજ તરફ જઈ રહી હતી, તે બેકાબુ થઈને પલટી ગઈ. આ બસમાં મુસાફરો સવાર હતા. દુર્ઘટના તે સમયે બની જ્યારે ડ્રાઇવરે બસ પરથી કાબૂ ગુમાવ્યો અને બસ રોડ કિનારે પલટી ગઈ. આ દુર્ઘટના બાદ તાત્કાલિક ઈમરજન્સી રાહત ટીમ અને એમ્બ્યુલન્સ ઘટના સ્થળે પહોંચી ગઈ. ઈજાગ્રસ્તોને નજીકની હૉસ્પિટલમાં દાખલ કરાયા હતા.

મૃત્યુઆંક વધી શકે છે

મળતી માહિતી અનુસાર, રાહત અને બચાવ કામગીરી હજુ ચાલી રહી છે અને તપાસ પૂર્ણ થયા બાદ મૃતકો અને ઈજાગ્રસ્તોનો સાચો આંકડો સામે આવશે. દુર્ઘટનાનું સાચું કારણ હજુ સુધી સ્પષ્ટ નથી થયું, પરંતુ અધિકારીઓનું કહેવું છે કે તેની તપાસ ચાલી રહી છે. જો કે, માનવામાં આવી રહ્યું છે કે, દુર્ઘટના ડ્રાઇવરની બેદરકારી અથવા વાહનની ખામીના કારણે બની હોઈ શકે છે.

ઈરાનમાં દર વર્ષે 17 હજારથી વધુના મોત

ઈરાનમાં રોડ દુર્ઘટનાઓની સંખ્યા ઘણી વધારે છે. અહીં દર વર્ષે લગભગ 17 હજાર લોકો રોડ અકસ્માતમાં જીવ ગુમાવે છે. આ દુર્ઘટનાઓનું મુખ્ય કારણ સુરક્ષા નિયમો અને ટ્રાફિક નિયમોનું પાલન ન કરવું, જૂના વાહનોનો ઉપયોગ અને ઈમરજન્સી સેવાઓની અછત જણાવાઈ રહી છે.