World

ઓઇલ સંકટ વચ્ચે 6 દેશો ઈરાન વિરુદ્ધ એકજૂટ, સ્ટ્રેટ ઓફ હોર્મુઝ અંગે લેવાયો મોટો નિર્ણય

By GS TEAM
20 Mar 20262 mins read
TukuTouch Logo
વિશ્વના ઉર્જા બજાર પર ઈરાને કરેલા હુમલા બાદ હવે પશ્ચિમી દેશો અને જાપાને આક્રમક વલણ અપનાવ્યું છે. હોર્મુઝ સ્ટ્રેટમાં ફસાયેલા સેંકડો જહાજોને સુરક્ષિત બહાર કાઢવા અને વૈશ્વિક સપ્લાય ચેઈનને પુનઃસ્થાપિત કરવા માટે 6 દેશોએ સૈન્ય અને કૂટનીતિક મોરચો ખોલ્યો છે.

Summarized by AI; it may make mistakes. Check important info

ઓઇલ સંકટ વચ્ચે 6 દેશો ઈરાન વિરુદ્ધ એકજૂટ, સ્ટ્રેટ ઓફ હોર્મુઝ અંગે લેવાયો મોટો નિર્ણય

AI Image 



Iran vs Israel and USA War News : વિશ્વના ઉર્જા બજાર પર ઈરાને કરેલા હુમલા બાદ હવે પશ્ચિમી દેશો અને જાપાને આક્રમક વલણ અપનાવ્યું છે. હોર્મુઝ સ્ટ્રેટમાં ફસાયેલા સેંકડો જહાજોને સુરક્ષિત બહાર કાઢવા અને વૈશ્વિક સપ્લાય ચેઈનને પુનઃસ્થાપિત કરવા માટે 6 દેશોએ સૈન્ય અને કૂટનીતિક મોરચો ખોલ્યો છે.

કયા કયા દેશોએ હાથ મિલાવ્યા 

મિડલ ઈસ્ટમાં ચાલી રહેલા 'તેલ યુદ્ધ' વચ્ચે વિશ્વની અર્થવ્યવસ્થાને બચાવવા માટે એક મોટું પગલું ભરવામાં આવ્યું છે. બ્રિટન, ફ્રાન્સ, જર્મની, ઈટાલી, નેધરલેન્ડ અને જાપાને સંયુક્ત રીતે ઈરાની હુમલાઓની આકરી નિંદા કરી છે. આ દેશોએ હોર્મુઝ સ્ટ્રેટ જેવા મહત્વપૂર્ણ દરિયાઈ માર્ગ પર સૈન્ય સહયોગ વધારવાની જાહેરાત કરી છે, જેથી વાણિજ્યિક જહાજો પર થઈ રહેલા ડ્રોન અને મિસાઈલ હુમલાઓને રોકી શકાય.

વૈશ્વિક ઉર્જા સંકટ અને આર્થિક નુકસાન

ઈરાન દ્વારા કતર અને સાઉદી અરેબિયાના ઉર્જા પ્લાન્ટ્સ પર કરવામાં આવેલા હુમલાથી આખું વિશ્વ હચમચી ગયું છે. કતર એનર્જીના અહેવાલ મુજબ, આ હુમલાઓને કારણે તેમની 17% એલએનજી નિકાસ ક્ષમતા ખોરવાઈ છે, જેનાથી વાર્ષિક $20 બિલિયન (અંદાજે રૂ. 1.6 લાખ કરોડથી વધુ) ના મહેસૂલ નુકસાનની આશંકા છે. હોર્મુઝ સ્ટ્રેટ બહાર ભારત સહિત અનેક દેશોના સેંકડો તેલના જહાજો ફસાયેલા છે, જેની સીધી અસર પેટ્રોલ-ડીઝલના ભાવ અને સામાન્ય જનતા પર પડી રહી છે.

બજારને સ્થિર કરવા ઉત્પાદન વધારવા પર ભાર

આ 6 દેશોના સમૂહે સ્પષ્ટ કર્યું છે કે તેઓ માત્ર સૈન્ય સુરક્ષા જ નહીં, પરંતુ ઉર્જા બજારને સ્થિર કરવા માટે અન્ય તેલ ઉત્પાદક રાષ્ટ્રો સાથે મળીને ઉત્પાદન વધારવા પર પણ કામ કરશે. ઈરાનની આ કાર્યવાહીને આંતરરાષ્ટ્રીય શાંતિ અને સુરક્ષા માટે સીધો ખતરો ગણાવતા આ દેશોએ ચેતવણી આપી છે કે જો નાગરિક ઈન્ફ્રાસ્ટ્રક્ચર પરના હુમલાઓ તરત જ બંધ કરવામાં નહીં આવે, તો તેના પરિણામો વિશ્વના સૌથી નબળા વર્ગના લોકોએ પણ ભોગવવા પડશે.