Get The App

ખાવાનું બનાવવા માટે ઉપયોગમાં લેવાતા ચપ્પુથી ફેલાય છે બીમારી, તાત્કાલિક બદલો, FSSAIની કડક ચેતવણી

Updated: Jun 16th, 2026

GS TEAM

Google News
Google News
ખાવાનું બનાવવા માટે ઉપયોગમાં લેવાતા ચપ્પુથી ફેલાય છે બીમારી, તાત્કાલિક બદલો, FSSAIની કડક ચેતવણી 1 - image

FSSAI guidelines 2026: ભારતમાં ફૂડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ્સ ઓથોરિટી ઓફ ઇન્ડિયા (FSSAI) સમય-સમય પર ફૂડ સેફ્ટી માટે પોતાની ગાઇડલાઇન જાહેર કરતી રહે છે. તાજેતરમાં જ FSSAI એ દેશના તમામ ફૂડ બિઝનેસ અને રેસ્ટોરન્ટ માલિકો માટે એક ખૂબ જ જરૂરી અને કડક આદેશ જાહેર કરતાં કહ્યું છે કે રસોઈ બનાવવા, કાપવા, પ્રોસેસિંગ અને પેકેજિંગ દરમિયાન ઉપયોગમાં લેવાતા ચપ્પુ અને બ્લેડ સંપૂર્ણપણે સાફ-સુથરા હોવા જોઈએ. માર્કેટમાં ઘણી જગ્યાએ નિયમોની અવગણના કરીને કાટવાળા, તૂટેલા, અથવા કલર ઉખડી ગયેલા ચપ્પુઓનો ઉપયોગ થઈ રહ્યો છે જે સીધી રીતે લોકોના સ્વાસ્થ્ય સાથે ચેડા કરવા જેવું છે. આ નિયમનું પાલન ન કરનારા આઉટલેટ્સ પર કાયદાકીય કાર્યવાહી કરવાની કડક ચેતવણી આપવામાં આવી છે.

નિયમોનું પાલન અને સાધનો બદલવાની સૂચના

FSSAIએ પોતાના નવા આદેશમાં જણાવ્યું છે કે ઘણા ફૂડ બિઝનેસ હજુ પણ ખરાબ ક્વોલિટીના ચપ્પુ અને કટિંગ ટૂલ્સનો ઉપયોગ કરી રહ્યા છે. ફૂડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ્સ રેગ્યુલેશન્સ, 2011ના શેડ્યૂલ 4 હેઠળ ખોરાકના સંપર્કમાં આવતા તમામ વાસણો અને ઉપકરણો ફૂડ-ગ્રેડ અને નોન-ટોક્સિક મટીરિયલથી બનેલા હોવા જોઈએ. આ ઉપરાંત આ ઉપકરણોને સમય-સમય પર સાફ અને સેનિટાઇઝ કરવા જરૂરી છે. નવી ગાઇડલાઇન મુજબ, તમામ ખરાબ, ચિપ લાગેલા કે કાટવાળા બ્લેડ્સને તાત્કાલિક કિચનમાંથી હટાવીને રિપ્લેસ કરવા પડશે.

રાજ્યોના ફૂડ સેફ્ટી કમિશનરોને કડક દેખરેખની સૂચના

FSSAIએ તમામ રાજ્યોના ફૂડ સેફ્ટી કમિશનર્સ અને ઇન્સ્પેક્ટર્સને આદેશ આપ્યો છે કે તેઓ ફિલ્ડ પર કડક નજર રાખે. જો કોઈ પણ રેસ્ટોરન્ટ, કેફે કે ફૂડ મેન્યુફેક્ચરર ખરાબ અને અસુરક્ષિત ચપ્પુનો ઉપયોગ કરતો જોવા મળશે, તો તેની સામે કડક એક્શન લેવામાં આવશે.

કાટવાળા ચપ્પુથી ફૂડ પોઇઝનિંગનું ગંભીર જોખમ

મહત્વનું છે કે કિચન ટૂલ્સમાં કાટ લાગવો એ માત્ર એક દેખાવડી ખામી નથી પરંતુ તે હેલ્થ માટે મોટો ખતરો ઉભો કરે છે. રિસર્ચગેટ પર પબ્લિશ સ્ટડીનું કહેવું છે કે કાટવાળા અને ગંદા ચપ્પુના ઉપયોગથી ખોરાકમાં બેક્ટેરિયા અને માઇક્રોબાયોલોજિકલ પ્રદૂષણનું જોખમ કેટલાય ગણું વધી જાય છે. જ્યારે કોઈ ધાતુ પર કાટ લાગે છે ત્યારે તેની સપાટી ખરબચડી અને છિદ્રાળુ થઈ જાય છે જ્યાં સાલ્મોનેલા અને ઈ-કોલાઈ જેવા ખતરનાક બેક્ટેરિયા સરળતાથી વધવા લાગે છે. નોર્મલ વોશિંગથી આ બારીક છિદ્રોમાં છુપાયેલા બેક્ટેરિયા સાફ થતા નથી જે બાદમાં ફૂડ પોઇઝનિંગનું કારણ બને છે.