જામનગર જિલ્લાના જામજોધપુર ટાઉનમાં શાંતિનગર વિસ્તારના રહેતા હેમરાજભાઈ કારાભાઈ પરમાર નામના 35 વર્ષના યુવાને પોતાનું બાઈક જામજોધપુરમાં મીની બસ સ્ટેન્ડ પાસે પાર્ક કર્યું હતું, ત્યાંથી કોઈ તસ્કરો ચોરી કરી લઈ ગયા હતા.
જે વાહન ચોરીના બનાવ અંગે હેમરાજભાઈએ જામજોધપુર પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતાં પોલીસે વાહન ચોરને શોધી કાઢવા માટેની કવાયત હાથ ધરી છે.


