Get The App

મંગેતરની ગુટકા ખાવાની લતની માથાકૂટ બાદ શ્રમિક યુવાનનો ગળાફાંસા દ્વારા આપઘાત

Updated: Mar 17th, 2026

GS TEAM

Google News
Google News
મંગેતરની ગુટકા ખાવાની લતની માથાકૂટ બાદ શ્રમિક યુવાનનો ગળાફાંસા દ્વારા આપઘાત 1 - image

Jamnagar : મૂળ પંચમહાલ જિલ્લાના ગોધરાના વતની અને હાલ કાલાવડ તાલુકાના રણુજા ગામમાં જયેશભાઈ રવજીભાઈ દોંગાની વાડીમાં રહીને ખેત મજૂરી કામ કરતા અલ્પેશ રમેશભાઈ નાયક નામના 19 વર્ષના શ્રમિક યુવાને પોતાની વાડીમાં બાવળના ઝાડમાં ચુંદડી બાંધી ગળાફાંસા દ્વારા આત્મહત્યા કરી લીધી હતી.

 આ બનાવ અંગે મૃતકના મોટાભાઈ વિજયભાઈ રમેશભાઈ નાયકએ પોલીસને જાણ કરતાં કાલાવડના પોલીસ બનાવના સ્થળે દોડી ગઈ હતી અને મૃતદેહનો કબજો સંભાળી વધુ તપાસ હાથ ધરી છે.

 પોલીસ પૂછપરછ દરમિયાન મૃતક યુવાનને તેની મંગેતર ભાવનાબેન સાથે બોલાચાલી થઈ હતી. મંગેતર સિલ્વર ગુટખા ખાવાની ટેવ ધરાવતી હોવાથી તેની ના પાડતાં બંને વચ્ચે ઝઘડો થયા બાદ અલ્પેશને મનમાં લાગી આવતાં આ પગલું ભરી લીધું હોવાનું પોલીસમાં જાહેર થયું છે.