Jamnagar Water Shortage : જામનગરમાં સમર્પણ અને બેડી ઈએસઆર જરૂરી કામગીરી અર્થે તા.24 ના અનેક વિસ્તારમાં પાણી વિતરણ બંધ રહેશે. જેઓને બીજા દિવસે પાણી વિતરણ કરવામાં આવશે.
જામનગર મહાનગરપાલિકાની વોટર વર્કસ શાખાની યાદી જણાવે છે કે, તા.24/02/2026 મંગળવારના રોજ સમર્પણ ઈએસઆર.માં જુના સમ્પના ડીમોલેશન કામમાં પાણીની આવકની મુખ્ય પાઈપ લાઈન શીફટીંગ કરવાની હોય, બેડી ઈએસઆરમાં સમ્પ સફાઈનું કામ કરવાનુ હોય, અને ખીજડીયા ફીલ્ટર પ્લાન્ટમાં સ્કાડા ફલોમીટર ફીટીંગ કામ કરવાનુ હોવાથી, સોલેરીયમ ઝોન હેઠળ આવતા વિસ્તારો ગાંધીનગર મેઈન રોડ, મોમાઈનગર-1 થી 5, ગોકુલધામ, નહેરૂનગર, મચ્છરનગર, શાંતીનગર, શાસ્ત્રીનગર, લાબહાદુર સોસા., પટેલ કોલોની 1 થી 12 મંગલબાગ 1 થી 4, આહીર બોર્ડીંગ, પુનાતર હોસ્પીટલવાળો વિસ્તાર, વાલ્કેશ્વરીનગર, સ્વસ્તીક સોસા., પારસ સોસાયટી, સદગુરૂ કોલોની, હિંમતનગર 1 થી 5, જયંત સોસાયટી, દ્વારકેશ સોસાયટી, વિકાસગૃહ રોડ, રામેશ્વરનગર, માતૃઆશીષ, પટેલ કોલોની 1 થી 8 રોડ નં.4, પટેલવાડી વિગેરે વિસ્તારો, નવાગામ ઘેડ ઝોન હેઠળ આવતા ખડખડનગર, વિનાયક પાર્ક, જાશોલીયા સોસાયટી, ગાયત્રી ચોક, સિધ્ધેશ્વર સોસાયટી, વિવેકાનંદ સોસાયટી, દલીતવાસ, માડમફળી, ઈન્દીરા-એ, મધુવન સોસાયટી, ઈન્દીરા-બી,આનંદ સોસાયટી, મીલન સોસાયટી, માતૃઆશીષ-4 અને 5, કબીરનગર જશવંત સોસાયટી, નાઘે૨વાસ, સરસ્વતી સોસાયટી, માસ્તર સોસાયટી, તથા વિમલપાર્ક, માટેલ ચોક, માટેલ ચોક, રાજરાજેશ્વરી, ગાયત્રીનગર ગાયત્રીનગર, જલારામ નગર, શિવમ એસ્ટેટ, ગાયત્રીનગર, વિનાયક પાર્ક, કિષ્ના પાર્ક, શક્તિ પાર્ક, નવજીવન, પટેલ વાડી, નિર્મળનગર, ભોળેશ્વર, રામેશ્વરનગર, સંસ્કાર દિપ,ગાયત્રી શેરી નં.1, 2, 3, નંદન પાર્ક, બાપુનગર, રાઠોડ ફળી, પરમાર ફળી, ગોપાલ ચોક, 80 કવાર્ટર મધુરમ રેસીડેન્સી વિસ્તારો બેડી ઝોન હેઠળ આવતા વિસ્તારો થરી-1, 2, ઈકબાલ ચોક, શેરે રજા ચોક, પીરોટન ચોક, જામા મસ્જીદ ચાંદની ચોક કરીમ જામનુ નાકુ, દેનાબેંક મીલ વિસ્તાર, જોડીયાવાળો ડેલો, હાઉસીંગ બોર્ડ, પાંચની ચાલી, વૈશાલીનગર-1 થી 7, રામમંદિર ચોક, અઢીની ચાલી, ધરારનગર, પાણાખાણ, જુનુ, એકડે એક બાપુ વિસ્તાર, જોડીયા ભુંગા ગરીબનગર, પાણાખાણ નવી લાઈન, દિવેલીયા ચાલી, જુનુ પાણાખાણ નવુ પાણાખાણ, સલીમ બાપુના મદ્રેશા, વિગેરે તેમજ સમર્પણ ઝોન-એ હેઠળ આવતા વિસ્તારો શીવમ સોસાયટી, ઓશવાળ-2, 3, 4, પટેલ નગરી, કેવલીયાવાડી, શીવમ સોસાયટી, મહાવીર પાર્ક, સિધ્ધી પાર્ક, ગોકુલધામ, જોઈસરપાર્ક, વૃંદાવન સોસાયટી, દવાબજાર, જોઈસરપાર્ક, વાસાવીરા, મયુરવિલા, પંડીતદીન દયાલ આવાસ, ધરારનગર-1, ઝુંપડ પટ્ટી, હાઉસીંગ બોર્ડ, જંગલખાતુ અને સદગુરૂ સોસાયટી, વિગેરે વિસ્તારો પાણી વિતરણ બંધ રહેશે. ઉકત વિગતે પ્રથમ બંધ રહેલ ઝોન વિસ્તારમાં પાણી વિતરણ કરવામાં આવશે, તથા બીજા દિવસે રૂટીન લગત ઝોનમાં પાણી વિતરણ કરવામાં આવશે,


