વડોદરા શહેર નજીકના પાદરા પાસે આવેલા જાસપુર ગામમાં રહેતી સગીર કન્યા ઘરે કહયા વિના ફળિયામાં જતા મોટાભાઈએ આપેલા ઠપકાથી લાગી આવતા ઘાસચારો બાળવાની દવા પી લેતા ગંભીર હાલતમાં સયાજી હોસ્પિટલમાં દાખલ કરાતા સગીર કન્યાનું કરુણ મોત નીપજતા લાશ કોલ્ડ રૂમમાં મુકાઈ હતી. આ અંગેની વિગત એવી છે કે, શહેર નજીકના પાદરા પાસે આવેલા દાજીપુરા ગામમાં રહેતા અરવિંદભાઈ ગોહિલની સગીર પુત્રી જાનવી ગઈ તા. 16મીએ બપોરે 12 વાગ્યાના સુમારે ઘરમાં કોઈને કહયા વિના ફળિયામાં અન્યના ઘરે બેસવા માટે ગઈ હતી.
આ અંગે મોટાભાઈ કિશન કુમાર ગોહિલે બહેનને ઠપકો આપ્યો હતો જેથી મનમાં લાગી આવતા જાનવી (ઉ. 16)એ ઘાસચારો બાળવાની દવા ગટગટાવી લીધી હતી. તબિયત લથડતા પરિવારજનોને જાણ થઈ હતી. જેથી અર્ધ બેહોશ હાલતમાં સારવાર અર્થે પાદરાની ખાનગી હોસ્પિટલમાં લઈ જવાઈ હતી. જ્યાં તબિયત વધુ લથડતા સયાજી હોસ્પિટલમાં સઘન સારવાર અર્થે દાખલ કરવામાં આવી હતી. જ્યાં તબીબી બિછાને બેહોશ સગીર કન્યાનું મોત નીપજતા લાસ્ટ કોલ્ડ રૂમમાં મુકાવી પાદરા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.


