મતદાર યાદી સુધારણા અંગે પૂરી થવામાં આવેલી કાર્યવાહી બાદ કેટલાક નાગરિકોના નામ મતદાર યાદીમાંથી કપાઈ જવાના આક્ષેપો સાથે શહેર કોંગ્રેસ દ્વારા જિલ્લા કલેકટરને આવેદનપત્ર આપીને સઘન રજૂઆત કરવામાં આવી હતી.
આ અંગેની વિગત એવી છે કે, ભારતના ચૂંટણી કમિશન દ્વારા મતદાર યાદી સુધારણા ઝુંબેશ શરૂ કરવામાં આવી હતી.
વડોદરામાં થયેલી કામગીરી હવે પૂર્ણતાના આરે પહોંચી ગઈ છે. જ્યારે બીજી બાજુ અનેક મતદારોના નામ મતદાર યાદીમાંથી રદ થવાની નોટિસો પણ જે તે વ્યક્તિઓને મળી રહી છે ત્યારે આવા કમી થનારા નામો અંગેની વિગતો સાથે શહેર કોંગ્રેસ અગ્રણી નરેન્દ્ર રાવત અને મહિલા કાઉન્સિલર અમી રાવત સહિત મોટી સંખ્યામાં કાર્યકરો આજે કલેક્ટર કચેરી ખાતે ઉમટી પડ્યા હતા. મતદાર યાદીમાંથી કમી થનારા મતદારોના લિસ્ટ સાથે જિલ્લા કલેકટર કચેરીએ અપાયેલા આવેદનમાં આ બાબતે સઘન રજૂઆત કરવામાં આવી હતી.


