જામનગરમાં સામાન્ય બોલાચાલીમાં બે પિતરાઈ ભાઈઓ પર હુમલો, ત્રણ શખ્સો સામે ગુનો નોંધાયો
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Jamnagar Crime : જામનગર શહેરના સ્મશાન ચોકડી નજીક સામાન્ય બોલાચાલીમાં બે પિતરાઈ ભાઈઓ પર હુમલો થયાની ઘટના સામે આવી છે. આ મામલે સીટી બી-ડીવી પોલીસ સ્ટેશનમાં ત્રણ શખ્સો સામે ગુનો નોંધવામાં આવ્યો છે.
ફરિયાદ મુજબ, તા.03/05/2026ના રોજ રાત્રે 11.30 વાગ્યે સ્મશાન ચોકડી પાસે સ્ટાર એવન્યુ એપાર્ટમેન્ટ સામે નવા બનેલા ઓવરબ્રિજ નીચે ફરિયાદી ઓમ સંજયભાઈ ચૌહાણ પોતાના પિતરાઈ મનોજભાઈ ચૌહાણ અને અંકિત ચૌહાણ સાથે કારમાં બેઠા હતા. દરમિયાન સામાન્ય બાબતે બોલાચાલી થતાં આરોપી પ્રવીણભાઈ માતંગ તથા બે અજાણ્યા ઇસમોએ હુમલો કર્યો હતો.
આરોપીઓએ પહેલા ફરિયાદીને ગાળો આપી ઝાપટ મારી ઈજા પહોંચાડી હતી. બાદમાં અન્ય બે શખ્સો ત્યાં આવી પહોંચતા એક આરોપીએ ધોકા વડે ફરિયાદીના માથામાં ઘા મારી ટાંકાની ઈજા પહોંચાડી હતી. વચ્ચે છોડાવવા ગયેલા મનોજભાઈ ચૌહાણને પણ પથ્થર મારી ઈજા પહોંચાડવામાં આવી હતી. આ બનાવ અંગે પોલીસે બી.એન.એસ.ની કલમ 118(1), 115(2), 352, 54 તેમજ જી.પી. એક્ટ કલમ 135(1) હેઠળ ગુનો નોંધ્યો છે. પોલીસે આરોપીઓ વિરુદ્ધ વધુ તપાસ હાથ ધરી છે.








