Get The App

ખેડાના રસુલપુરમાં મોટી દુર્ઘટના: બોરના ખોદકામ સમયે માટી ધસી પડતા ખેતર માલિક અને મજૂરનું મોત

Updated: Apr 15th, 2026

GS TEAM

Google News
Google News
ખેડાના રસુલપુરમાં મોટી દુર્ઘટના: બોરના ખોદકામ સમયે માટી ધસી પડતા ખેતર માલિક અને મજૂરનું મોત 1 - image


Kheda News: ખેડા જિલ્લાના ઠાસરા તાલુકાના રસુલપુર ગામે એક દુર્ઘટના સામે આવી છે, જેમાં ખેતરમાં બોરવેલ બનાવવાની કામગીરી દરમિયાન અચાનક માટી ધસી પડતા બે વ્યક્તિઓના કરુણ મોત નિપજ્યા છે. આ દુર્ઘટનામાં ખેતરના માલિક અને ત્યાં કામ કરી રહેલા એક મજૂર માટીના કાટમાળ નીચે દબાઈ ગયા હતા, જેના કારણે બંનેના જીવ ગયા છે. ખેતરમાં પાણી માટે ચાલી રહેલી બોરની કામગીરી દરમિયાન બનેલી આ આકસ્મિક ઘટનાને પગલે સમગ્ર પંથકમાં અરેરાટી વ્યાપી ગઈ છે અને ગામમાં શોકનું મોજું ફરી વળ્યું છે.