Get The App

દોઢ વર્ષ પહેલા કામ આપવામા આવ્યુ હતુ, આશ્રમરોડને ગૌરવપથ બનાવવાની કામગીરી અચાનક જ ખોટકાઈ ગઈ

પાલડી ચાર રસ્તાથી વાડજ જંકશન થઈ આર.ટી.ઓ.સુધી મેકઓવર કરવાનુ કામ અટકવા અંગે તંત્ર પાસે પણ જવાબ નથી

Updated: May 9th, 2026

GS TEAM

Google News
Google News
દોઢ વર્ષ પહેલા કામ આપવામા આવ્યુ હતુ, આશ્રમરોડને ગૌરવપથ બનાવવાની કામગીરી અચાનક જ ખોટકાઈ ગઈ 1 - image

અમદાવાદ,શનિવાર,9 મે,2026

અમદાવાદના આશ્રમરોડને  રિડેવલપ કરી ગૌરવપથ બનાવવા વર્ષ-૨૦૨૩માં ટેન્ડર  પ્રક્રીયા કરવામા આવી હતી. પરંતુ કોઈ કોન્ટ્રાકટરે રસ નહી બતાવતા દોઢ વર્ષ અગાઉ શહેરના સાત અલગ અલગ રોડને કલબ કરી આઈકોનિક બનાવવા  કામગીરી અપાઈ હતી.માત્ર પાલડી પાસે થોડાક વિસ્તારમાં કામગીરી કરાયા પછી કામગીરી આગળ વધી શકી નથી.પાલડી ચાર રસ્તાથી વાડજ જંકશન થઈ આર.ટી.ઓ.સુધીના સમગ્ર આશ્રમરોડનુ મેકઓવર કરી ગૌરવપથ બનાવવાનુ આયોજન અધ્ધરતાલ છે.રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજીની યાદો ખાસ કરીને પાલડીમાં કોચરબ આશ્રમ અને સાબરમતીમાં ગાંધી આશ્રમને જોડતા આશ્રમરોડનુ મેકઓવર કરવાનુ આયોજન અધ્ધરતાલ પરિસ્થિતિમા છે.કોન્ટ્રાકટર પટેલ ઈન્ફ્રાસ્ટ્રકચર દ્વારા કામગીરી કયા કારણસર કામગીરી આગળ વધારવામા આવતી નથી તે ચૂંટાયેલી પાંખની ગેરહાજરીમાં તંત્રમાંથી કોઈ પુછતુ પણ નથી.

આ અંગે પ્રાપ્ત થતી વિગત મુજબ,૧૯૭૬માં આશ્રમ રોડ બનાવાયા પછી વર્ષ-૧૯૮૩માં મ્યુનિસિપલ કોર્પોરેશને તેનુ વિસ્તૃતિકરણ કરી પૂર્વ અને પશ્ચિમ અમદાવાદને આશ્રમરોડ સાથે જોડયા હતા.રિડીપી હેઠળ આશ્રમ રોડ ઉપર રસ્તાની પહોળાઈ ૩૬.૩૯ મીટર કરવામા આવી હતી.આશ્રમ રોડને ગૌરવપથ બનાવવાના આયોજન અગાઉ  વર્ષ-૨૦૧૪માં આશ્રમરોડને સેન્ટ્રલ બિઝનેસ કોરિડોર ડિસ્ટ્રીકટ તરીકે ડેવલપ કરવાનો નિર્ણય કરવામા આવ્યો હતો.એ સમયે આશ્રમરોડ ઉપર ૫.૪ એફ.એસ.આઈ.આપવાની જાહેરાત કરવામા આવી હતી. આશ્રમરોડ ઉપર ૨૨ માળ સુધીના બિલ્ડિંગ  બનાવવા મંજૂરી આપવાની પણ જાહેરાત થઈ હતી.આશ્રમરોડ ઉપર જે પ્રમાણેની જાહેરાત કરવામા આવી હતી તે પ્રમાણેનો વિકાસ થઈ ના શકયો.૨૦૨૩માં  રુપિયા ૩૫.૭૫ કરોડનુ ટેન્ડર કરવામા આવતા કોઈ બીડર મળ્યા નહી હોવાથી સપ્ટેમ્બર-૨૦૨૪માં મ્યુનિસિપલ  કોર્પોરેશને સાત અલગ અલગ રોડ કલબ કરીન ડેવલપ કરવા રુપિયા ૪૦૫ કરોડનો વર્ક ઓર્ડર કોન્ટ્રાકટરને આપવામા આવ્યો હતો.

ગૌરવપથના મુળ આયોજનમાં શું કરવાનુ હતુ?

લિંક-૧- પાલડી ક્રોસ રોડથી ટાઉનહોલ જંકશન

રોડની કુલ લંબાઈ-૧.૧૮૫ કિલોમીટર

રોડની પહોળાઈ- ૩૦.૫ મીટર

ફૂટપાથ બંને સાઈડ- ૩.૦ મીટર

પેરેલલ પાર્કિંગ બંને સાઈડ- ૨.૨૫ મીટર

લિંક-૨- ટાઉનહોલ જંકશનથી માઉન્ટ કાર્મેલ ક્રોસરોડ

રોડની કુલ લંબાઈ-૧.૪૩૫  કિલોમીટર

રોડની પહોળાઈ- ૩૯.૬૫  મીટર

ફૂટપાથ બંને સાઈડ- ૩.૦ મીટર

પેરેલલ પાર્કિંગ બંને સાઈડ- ૨.૨૫ મીટર

લિંક-૩- માઉન્ટ કાર્મેલ ક્રોસરોડથી ઉસ્માનપુરા ક્રોસરોડ

રોડની કુલ લંબાઈ-૧.૩૯૦  કિલોમીટર

રોડની પહોળાઈ- ૩૯.૬૫  મીટર

ફૂટપાથ બંને સાઈડ- ૩.૦ મીટર

પેરેલલ પાર્કિંગ બંને સાઈડ- ૨.૨૫ મીટર

લિંક-૪- ઉસ્માનપુરા ક્રોસરોડથી દાંડી કૂચ સર્કલ

રોડની કુલ લંબાઈ-૧.૧૦૫  કિલોમીટર

રોડની પહોળાઈ- ૩૯.૬૫  મીટર

ફૂટપાથ બંને સાઈડ- ૩.૦ મીટર

પેરેલલ પાર્કિંગ બંને સાઈડ- ૨.૨૫ મીટર

સાત કયા રોડ ડેવલપ કરવાના હતા?

-આશ્રમરોડ-પાલડીથી વાડજ

-એરપોર્ટ સર્કલથી ડફનાળા ક્રોસ રોડ

-નરોડા સ્મશાનથી દહેગામ સર્કલ

-કેનયુગ સર્કલથી પ્રહલાદનગર જંકશન

-ઈસ્કોનથી પકવાન ક્રોસ રોડ

-ઈસ્કોનથી પકવાન ક્રોસરોડ

-વિસતથી તપોવન સર્કલ

ગાંધી સ્મૃતિ અને આશ્રમરોડ

૧. કોચરબ આશ્રમ

૨.એમ.જે.લાયબ્રેરી

૩.ગુજરાત વિદ્યાપીઠ

૪.નવજીવન પ્રેસ

૫.ગાંધીઆશ્રમ