Get The App

વિરમગામના ગોલવાડી દરવાજાથી તિરૂપતિ કોમ્પલેક્સ સુધીનો ટકાઉ રોડ તોડી પડાયો

Updated: Feb 9th, 2026

GS TEAM

Google News
Google News
વિરમગામના ગોલવાડી દરવાજાથી તિરૂપતિ કોમ્પલેક્સ સુધીનો ટકાઉ રોડ તોડી પડાયો 1 - image

- શહેરના કેટલાક વિસ્તારોમાં રોડ બિસ્માર છતાં નવા બનાવાતા નથી 

- નવા ભળેલા વિસ્તારોમાં પણ રોડ બન્યા નથી ત્યાં પાંચ વર્ષ પહેલા બનાવેલો રોડ તોડતા પાલિકાની કામગીરી સામે સવાલો 

વિરમગામ : વિરમગામ પાલિકા વિસ્તારમાં રસ્તાઓ બિસ્માર બન્યા છે. આરસીસી રોડ તોડીને નવો સીસી રોડ બનાવવાની કામગીરી હાથ ધરવામાં આવી છે. જેના કારણે આસપાસના વિસ્તારોમાં લોકોને અવરજવરમાં ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. 

વિરમગામના ગોલવાડી દરવાજાથી તિરૂપતિ કોમ્પેલેક્ષ સુધી પાંચ વર્ષ અગાઉ આરસીસી રોડ બનાવવામાં આવ્યો હતો. શનિવારે સવારે રોડ તોડવાની કામગીરી પાલિકાના કોન્ટ્રાક્ટર દ્વારા શરૂ કરવામાં આવી હતી. આ રોડ પર વાહનોની અવરજવર નહિવત છે. આ રોડ ટકાઉ છતાં આરસીસી રોડ તોની નવો બનાવવા માટે કોન્ટ્રાક્ટર એજન્સીને વોર્કઓડર આપી દેવામાં આવ્યો છે. 

નવો બનાવવામાં આવનાર ૧૦૦ મીટરમાં ગોલવાડી દરવાજા હનુમાનજી મંદિર સુધીનો મુખ્ય માર્ગ છેલ્લા દસ વર્ષથી બિસ્માર છે. આ રોડ એપીએમસી માર્કેટયાર્ડ, બેક, ટાઉનહોલ, તાલુકા સેવા સદન તેમજ ૩૫થી વધુ સોસાયટીના રહિશોને જવા આવવાનો મુખ્ય માર્ગે છે. આ રોડ બનાવવા રજૂઆતો છતાં પણ નવો બનાવવામાં તંત્ર ઉપેક્ષા કરી રહ્યું છે. બીજી તરફ ટકાઉ રોડ તોડીને નવો બનાવવામાં આવતા પાલિકાની કાર્યક્ષેલી સામે સવાલો ઉભા થયા છે. નગરપાલિકામાં નવા સીમાંકન મુજબ ૧૦ વર્ષ પહેલા ભળેલા ભોજવા, મેલડીનગર, હાસલપુર, કાજીપુરા ઘણા વિસ્તારમાં રોડ રસ્તા બન્યા નથી ત્યારે મજબૂત ટકાઉ આરસીસી રોડ તોડવામાં આવી રહ્યો છે.