Get The App

વડોદરાના તરસાલી રવિશંકર મહારાજ કુમાર છાત્રાલયમાં જમવા મુદ્દે વિદ્યાર્થીઓનો હોબાળો

Updated: Mar 27th, 2026

GS TEAM

Google News
Google News
વડોદરાના તરસાલી રવિશંકર મહારાજ કુમાર છાત્રાલયમાં જમવા મુદ્દે વિદ્યાર્થીઓનો હોબાળો 1 - image

Vadodara : વડોદરાના છેવાડે તરસાલી વિસ્તારમાં આવેલી પૂ. રવિશંકર કુમાર છાત્રાલય (વિ.જા.)માં જિલ્લામાંથી આવતા વિદ્યાર્થીઓ ઊંચા સ્વપ્ન સાથે ભણતા હોય છે. દસ વર્ષ અગાઉ શરૂ થયેલી આ હોસ્ટેલમાં વિદ્યાર્થીઓને યોગ્ય પ્રમાણમાં પ્રાથમિક સુવિધા મળતી નહીં હોવાના આક્ષેપોનો વિડીયો વાયરલ થયો હતો. હાલમાં ગેસ સિલિન્ડરની કહેવાથી અછતના કારણે શાળા તંત્ર દ્વારા વિદ્યાર્થીઓને ગેસ સિલિન્ડર બહારથી લઈ આવે તો જ જમવા મળશે તેવા આક્ષેપો થયા હતા. 

આ હોસ્ટેલમાં વિદ્યાર્થીઓ જીવનમાં કંઈક બનવાના સ્વપ્ન સાથે રહેતા હોય છે પરંતુ તેમને પ્રાથમિક સુવિધામાં યોગ્ય કક્ષાના ભોજનનો અભાવ, સિક્યુરિટી સહિત પાણીના ધાંધિયા, અને રસોઈ અંગે પણ સ્વચ્છતાનો અભાવ સ્પષ્ટ નજરે પડે છે. ગટરના વહેતા ગંદા પાણીની બાજુમાં જ બનાવતી રસોઈ એક જ પ્રકારની અને કોઈ પણ જાતના ઢંગ ધડા અને સ્વાદ વિનાની બનાવતી હોવાના પણ આક્ષેપો વિદ્યાર્થીઓએ કર્યા હતા. રસોઈ બનાવવાનો પણ કોઈ ચોક્કસ સમય નક્કી નથી હોતો. વિદ્યાર્થીઓ ભૂખ્યા તરસ્યા પોતાનું ભવિષ્ય બનાવવા મજબૂર બને છે. આ અંગે તંત્ર સમક્ષ વારંવાર રજૂઆતો કરવા છતાં કોઈ સુધારા થતા નથી. રસોઈ મોડી બનતી હોવા અંગે કહેવા જતા સિલિન્ડર લઈ આવો પછી જ રસોઈ બનશે તેવા પણ આક્ષેપો વિદ્યાર્થીઓએ કર્યા હતા.