Get The App

માતાના અવસાન પછી પુત્રનો આપઘાત

મમ્મી તારા વગર ગમતું નથી, જીવનનો આનંદ પૂરો થઇ ગયો છે

રૃમમાં એક પુસ્તકમાં મૂકેલી અંતિમ ચિઠ્ઠી પોલીસને મળી આવી

Updated: Jun 3rd, 2026

GS TEAM

Google News
Google News
માતાના અવસાન પછી પુત્રનો આપઘાત 1 - image

 વડોદરા,વડોદરામાં રહી કામ કરતા ૪૦ વર્ષના યુવકે ગળા ફાંસો  ખાઇને આપઘાત કરી લીધો હતો.જે અંગે ફતેગંજ પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

પોલીસ સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ, રાજસ્થાનના ઉદેપુરનો વતની હિમાંશુ પ્રકાશચંદ્ર લોઢા, ઉં.વ.૪૦ હાલમાં વડોદરામાં કેનાલ રોડ પર અંબિકાનગર સોસાયટીમાં  અન્ય રૃમ પાર્ટનર સાથે રહેતો હતો.ગઇકાલે સાંજે તેનો રૃમ પાર્ટનર આવ્યો ત્યારે હિમાંશુને ગળા ફાંસો ખાધેલી હાલતમાં જોયો હતો. જે અંગે ફતેગંજ પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે સ્થળ પર જઇને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. પોલીસની  પ્રાથમિક તપાસમાં એવી વિગતો જાણવા મળી છે કે, હિમાંશુ મેનેજેન્ટનું કામ રૃમ પરથી જ કરતો હતો. પોલીસને રૃમમાં એક પુસ્તકમાંથી હિમાંશુએ લખેલી અંતિમ ચિઠ્ઠી મળી આવી હતી. જેમાં લખ્યું  હતું કે, મમ્મી તારા વગર ગમતું નથી.  તારી પાસે આવું છું. જીવનનો આનંદ પૂરો થઇ ગયો છે. હિમાંશુનો મોબાઇલ ફોન લોક હોઇ તપાસ થઇ શકી નથી. ઉલ્લેખનીય છે કે, તેની માતાના અવસાન પછી  પણ તે માતાને ભૂલી શકતો નહતો. તેના કારણે જ તેણે અંતિમ પગલું ભર્યુ હોવાની શક્યતા છે.