Get The App

કાલાવડ તાલુકાના બાંગા ગામમાં એક વેપારીના બંધ મકાનને નિશાન બનાવતા તસ્કરો: 42,500ની માલ મત્તાની ચોરી

Updated: Feb 21st, 2026

GS TEAM

Google News
Google News
કાલાવડ તાલુકાના બાંગા ગામમાં એક વેપારીના બંધ મકાનને નિશાન બનાવતા તસ્કરો: 42,500ની માલ મત્તાની ચોરી 1 - image

જામનગર જિલ્લાના કાલાવડ તાલુકાના બાંગા ગામના રહેવાસી અને હાલ રાજકોટ માં રહેવા માટે ચાલ્યા ગયેલા રમેશભાઈ મૂળજીભાઈ મૈયડ નામના વેપારી, કે જેઓનું મકાન બાંગા ગામમાં આવેલું છે, જેને કોઈ તસ્કરોએ નિશાન બનાવી લીધું હતું, અને અંદરથી રૂપિયા 42,500ની માલમતા ચોરી કરી ગયા હતા.

ઉપરોક્ત ચોરીના બનાવ અંગે રમેશભાઈએ રાજકોટ થી કાલાવડ આવ્યા બાદ કાલાવડ ગ્રામ્ય પોલીસ મથકનો સંપર્ક સાદ્યો હતો, અને પોતાના બંધ રહેલા મકાનને તસ્કરોએ નિશાન બનાવી અંદરથી 16,000ની રોકડ રકમ અને સોના ચાંદીના જુના દાગીના ઉઠાવી ગયાનું પોલીસ ફરિયાદમાં જાહેર કર્યું હતું. જે ફરિયાદના અનુસંધાને પોલીસે તપાસ હાથ ધરી છે.