વડોદરા જિલ્લામાં મહેસૂલ વસુલાતનો ટાર્ગેટ પૂરો નહીં થતાં અનેક તલાટીઓના પગાર અટકાવ્યા
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Vadodara : વડોદરા જિલ્લાના તાલુકામાં મહેસૂલની વસુલાતનો નિયત 60 ટકા ટાર્ગેટ પૂરો નહીં કરનારા તલાટી કમ મંત્રીઓના પગાર રાજ્ય સરકારે અટકાવી દીધા હોવાની જાણ થતા તલાટી કમ મંત્રીઓ સહિત નાના કર્મચારીઓમાં કચવાટની લાગણી સહિત રોષ ફેલાયો હતો.
ઉલ્લેખનીય છે કે તલાટી કમ મંત્રીઓને પ્રતિ માસ વેરા વસુલાતનો એક ચોક્કસ લક્ષ્યાંક આપવામાં આવ્યો હતો. જેમાંથી 60 થી 70 ટકા જેટલો ટાર્ગેટ પૂરો કરવા માટે તંત્ર દ્વારા દબાણ કરવામાં આવતું હતું. આમ છતાં પણ જો કોઈ તલાટી કમ મંત્રી ટાર્ગેટ પૂરો ના કરી શકે તો તેનો પગાર અટકાવી દેવામાં આવે છે. જેથી સરકારના આવા પગલાથી તલાટી કમ મંત્રીઓ સહિત નાના કર્મચારીઓમાં કચવાટની લાગણી વ્યાપી હતી. આ અંગેની મૂળ વાત એવી છે કે જો કોઈ વ્યક્તિ બાકી મહેસૂલ વેરો ના ભરતો હોય તો એની સામે પગલાં લેવા જોઈએ એને બદલે તંત્ર દ્વારા વેરાની વસૂલાત કરવાનો પ્રયત્ન કરનારા સરકારી કર્મચારીઓ સામે પગલા લેવાય તે કેટલે અંશે વ્યાજબી હોવાનું તલાટી કમ મંત્રીઓ કહી રહ્યા છે. તલાટી કમ મંત્રીઓ સહિત નાના કર્મચારીઓ રજાના દિવસે પણ ડોર ટુ ડોર ઉઘરાણી કરે છે. આ ઉપરાંત વેરો ભરવા માટે બાકીદારોની સગવડ માટે કેમ્પનું પણ આયોજન કરીને વેરો ભરવા બાકીદારોને સૂચન પણ કરતા હોય છે તેમ છતાં પણ કોઈ વેરોના ભરે તો એમાં તલાટી કમ મંત્રીઓનો શું વાંક કહેવાય? આમ સરકારી તંત્ર દ્વારા તલાટી કમ મંત્રીઓ અને નાના કર્મચારીઓના પગાર અટકાવી દેતા તલાટી કમ મંત્રીઓ સહિત નાના કર્મચારીઓમાં રોષ ફેલાવા સહિત કચવાટની લાગણી જોવા મળી હતી.









