Get The App

VIDEO | સાળંગપુરમાં ગુજરાતની સૌથી ભવ્ય હનુમાન જયંતિ ઉજવાશે, જાણો બે દિવસના મહોત્સવની A to Z વિગત

Updated: Mar 30th, 2026

GS TEAM

Google News
Google News
VIDEO | સાળંગપુરમાં ગુજરાતની સૌથી ભવ્ય હનુમાન જયંતિ ઉજવાશે, જાણો બે દિવસના મહોત્સવની A to Z વિગત 1 - image

Salangpur Hanuman Jayanti 2026: વિશ્વપ્રસિદ્ધ તીર્થધામ સાળંગપુર ખાતે આગામી 1 અને 2 એપ્રિલ 2026 દરમિયાન ગુજરાતની સૌથી ભવ્ય હનુમાન જયંતિ મહોત્સવની ઉજવણી કરવામાં આવશે. આ મહોત્સવમાં 1008 કિલો પુષ્પોથી રાજોપચાર પૂજન, 1 લાખ બલૂન ડ્રોપિંગ, મંદિર પ્રાંગણમાં સમૂહ આરતી, મહા અન્નકૂટ અને 151 કિલોની કેક કાપીને દાદાનો જન્મોત્સવ ધામધૂમથી ઉજવાશે. ભક્તો માટે આસ્થા અને ભક્તિના ત્રિવેણી સંગમ સમાન આ ઉત્સવમાં 29 માર્ચથી જ કીર્તન આરાધનાના સૂર રેલાઈ રહ્યા છે. જ્યારે મુખ્ય બે દિવસના મહોત્સવમાં હાઇટેક લાઇટ ઍન્ડ સાઉન્ડ શૉ, આતશબાજી અને લોકડાયરા જેવા સાંસ્કૃતિક કાર્યક્રમોનું પણ આયોજન કરવામાં આવ્યું છે.


ભક્તોને રહેવા જમવા માટે 2000થી વધુ રૂમની વ્યવસ્થા

મહત્ત્વનું છે કે, હનુમાન જયંતીની ઉજવણી માટે મોટી સંખ્યામાં ભક્તો સાળંગપુર હનુમાનજી ખાતે આવશે. આ માટે મંદિર દ્વારા ભક્તોને કોઈ અગવડતા ના પડે એ માટે સુવિધા પૂરી પાડવા તૈયારીઓ કરવામાં આવી છે. જેમાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. આ સાથે જ ભક્તોને રહેવા જમવા માટે 2000થી વધુ રૂમની વ્યવસ્થા છે. તો મંદિર પરિસરની પાછળ અને ગોપાળાનંદ યાત્રિક ભવન સિવાય અન્ય બે મોટા પ્લોટમાં 10 હજાર ફોરવ્હીલ અને 5 હજારથી વધુ ટુવ્હીલર પાર્ક થઈ શકે તેવી વ્યવસ્થા કરવામાં આવી છે. 

હનુમાન જયંતીએ દાદાને 8 કિલો સોનાના પ્યોર સ્ટોનના જડતરવાળા વાઘા પહેરાવાશે

હનુમાન જયંતીના દિવસે સાળંગપુરધામ ખાતે હનુમાનજી મહારાજને અર્પણ કરવામાં આવનારા આલૌકિક સુવર્ણ વાઘા 8 કિલો પ્યોર સોનામાંથી બનેલા છે. આ વાઘાને તૈયાર કરવામાં 100 જેટલા સોનીઓ અને 22 ડિઝાઇનર આર્ટિસ્ટની ટીમે સતત 1050 કલાક લાગ્યા હતા. પ્રાચીન અને અર્વાચીન શૈલીવાળા આ વાઘામાં રિયલ ડાયમંડ, રુબી, એમરલ્ડ સ્ટોન અને સ્વરોસ્કી હીરા જડવામાં આવ્યા છે. સંતોના માર્ગદર્શન હેઠળ ઝીણવટપૂર્વક તૈયાર થયેલી આ ડિઝાઇનમાં 3D વર્ક, બિકાનેરી મીણો, પેન્ટિંગ મીણો અને ફિલિગ્રી વર્ક જેવી બારીક કલાકારીનો ઉપયોગ કરી તેને એક વર્ષના લાંબા સમયગાળા બાદ અંતિમ ઓપ આપવામાં આવ્યો હતો.

કીર્તન આરાધના

29, 30, 31 માર્ચ 2026, દરરોજ રાત્રે 7:30થી 9:00 યોજાય છે. જેમાં વિદ્વાન સંગીતના ઉપાસકો દ્વારા હનુમાનજી મહારાજને ભાવપૂર્ણ શૈલીથી કીર્તન આરાધના કરી દાદાને પ્રસન્ન કરવામાં આવશે. ભક્તો પોતાની ઉપસ્થિતિ દર્શાવી કીર્તન આરાધનાનો લાભ લઈ શકે છે.

રાજોપચાર પૂજન

01/04/2026, બુધવાર

સમય: સવારે 07:30 કલાકે

સાળંગપુરધામના રાજાનું ઐતિહાસિક પૂજન

આ પણ વાંચો: ગુજરાત પર માવઠાનું સંકટ, વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સક્રિય થતા આ જિલ્લામાં કમોસમી વરસાદની આગાહી

રાજોપચાર પૂજનની વિશેષતા

1008 કીલો પુષ્પોથી કષ્ટભંજનદેવનો ભવ્ય અભિષેક

બ્રાહ્મણો દ્વારા એવં હરિપ્રકાશદાસજી સ્વામીના હસ્તે ભવ્ય-દિવ્ય રાજોપચાર પૂજન સંપન્ન થશે.

કિંગ ઑફ સાળંગપુર સમૂહ આરતી, Light & Sound Show, Fireworks Show 01 એપ્રિલ 2026, બુધવારની રાત્રે 08:00 કલાકે થશે.

સમૂહ આરતીની દિવ્યતા

કિંગ ઑફ સાળંગપુર ખાતે ભવ્ય Light and Sound Show ઉજવાશે. હજારો દિવડાઓથી કિંગ ઑફ સાળંગપુરની સંતો અને ભક્તોની ઉપસ્થિતિમાં આરતી થશે. ઐતિહાસિક આતશબાજીથી કિંગ ઑફ સાળંગપુરનું સ્વાગત કરવામાં આવશે.

સત્સંગ લોકડાયરો

LIVE IN SALANGPUR

01 એપ્રિલ 2026, બુધવાર

સમય: રાત્રે 09:00

કિંગ ઑફ સાળંગપુરના સાનિધ્યમાં ભક્તિ સંગીતનો લોક ડાયરો

મંગળા આરતી

સમય: સવારે 05:00 કલાકે

આતશબાજીથી કષ્ટભંજન દેવનું સ્વાગત કરવામાં આવશે.

શણગાર આરતી

સમય: સવારે 07:00 કલાકે

કષ્ટભંજન દેવ સુવર્ણ વાઘા ધારણ કરી ભક્તોને દર્શન આપશે

ઐતિહાસિક હનુમાન જન્મોત્સવ

હનુમાન જયંતી

સમય: સવારે 07:30 કલાકે

1,00,000 બલુન ડ્રોપથી ભક્તોનું સ્વાગત થશે.

151 કિલો કેકનું કટિંગ કરી હજારો ભક્તો હનુમાન ભક્તિમાં ડીજેના તાલે ઝૂમી ઉઠશે

આ પણ વાંચો: ઉમરેઠ વિધાનસભા બેઠકની પેટાચૂંટણી માટે ભાજપે ઉમેદવારની કરી જાહેરાત, હર્ષદ પરમારને ટિકિટ આપી

વિશ્વ શાંતિ મારુતિ યજ્ઞ

02/04/2026, ગુરુવાર

સમય: સવારે 07:00 કલાકે, યજ્ઞની ધુમ્રસેરમાં પવિત્રતા અને વૈદિક મંત્રોની ઊર્જાનો સંચાર થશે. તેમજ 1000થી વધારે ભક્તો દાદાના દરબારમાં સમૂહ યજ્ઞમાં બેસવાનો લાભ લેશે.

મહા અન્નકૂટ

સમય: સવારે 11:00 કલાકે

કષ્ટભંજન દેવને વિવિધ વાનગીઓનો અન્નકૂટ અર્પણ કરવામાં આવશે.

મહા અન્નક્ષેત્ર

સમય: સવારે 10:00 કલાકે

દર્શને આવનાર દરેક ભક્તો માટે મહા અન્નક્ષેત્રમાં પ્રસાદનો લાભ મળશે.

મહા સંધ્યા આરતી

02 એપ્રિલ 2026, ગુરુવાર

સાંજે 07:00 કલાકે

કષ્ટભંજન દેવની સંતો-ભક્તો અને તાસા ગ્રૂપ નાસિક ઢોલ તથા હજારો દીવડાઓથી અને ભવ્ય આતશબાજી દ્વારા સામૂહિક આરતી કરવામાં આવશે.