Entertainment

ચાહકોનો ચિત્કાર,આલિયા સે તુમ્બાડ ટુ કો બચાઓ

By GS Team
14 Jul 20261 min read
TukuTouch Logo
મુંબઈમાં 'તુમ્બાડ 2'માં આલિયા ભટ્ટની એન્ટ્રી થતાં ચાહકો નારાજ થયા છે. સોહમ શાહે આલિયાને મહત્ત્વની ભૂમિકા માટે કાસ્ટ કરતાં, મૂળ ચાહકોએ ટ્રોલ કરી કાસ્ટિંગને ખોટું ગણાવ્યું. ચાહકોનું માનવું છે કે, 'તુમ્બાડ' પોતાની વાર્તા અને કલાકારોને કારણે ક્લાસિક બની હતી, પરંતુ હવે સ્ટારપાવર તરફ ઝૂકી રહી છે. તેઓ આલિયાને કાસ્ટ ન કરવાની વિનંતી કરી રહ્યા છે, જેથી ફિલ્મ આલિયાકેન્દ્રી ન બને.

Summarized by AI; it may make mistakes. Check important info

ચાહકોનો ચિત્કાર,આલિયા સે તુમ્બાડ ટુ કો બચાઓ

મુંબઇ: 'તુમ્બાડ ટુ માં આલિયા ભટ્ટનું આગમન થતાં જ તુમ્બાડ ફ્લ્મિના ચાહકોના એક વર્ગે આલિયા ભટ્ટને જોરદાર ટ્રોલ કરી હતી. આ વર્ગે આલિયા ભટ્ટના કાસ્ટિંગને સાવ ખોટું ગણાવ્યું હતું.
એક ચાહકે જણાવ્યું હતું કે ફિલ્મ 'તુમ્બાડ' પોતાની કથા કહેવાના અંદાજ, વિઝન અને કલાકારોના જબરદસ્ત કામને કારણે કલ્ટ ક્લાસિક ફિલ્મ બની રહી છે જેને બોલીવૂડના કોઇ મોટા કેમ્પનો સપોર્ટ નહોતો. એક ચાહક તરીકે નિરાશા અ ેવાતની થઇ રહી છે કે આવી અનોખી ફ્રેન્ચાઇઝી હવે સ્ટારપાવર ભણી ઝૂકી રહી છે. 'તુમ્બાડ' પોતાના મૂળિયાંને વળગી રહી કાબેલ કળાકારોને ચમકવાની તક આપશે તેવી મને આશા છે. અન્ય એક ચાહકે આલિયાને કાસ્ટ ન કરવાની વિનંતી કરતાં જણાવ્યું હતું કે તેને કારણે ફિલ્મ આલિયાકેન્દ્રી બની જશે. અન્ય એક ચાહકે એમ જણાવ્યું કે આ કાસ્ટિંગને કારણે 'તુમ્બાડ વન'થી બનેલી તમામ હાઇપ ખરાબ થઇ ગઇ. આલિયા સે તુમ્બાડ ટુ કો બચાઓ.
સોહમ શાહની ફિલ્મ 'તુમ્બાડ' માં નવાઝુદ્દીન સિદ્દિકી બાદ હવે આલિયા ભટ્ટની એન્ટ્રી થતાં ફિલ્મના મૂળ ચાહકોમાં રોષ વ્યાપ્યો છે.
સોહમ શાહે જાહેરાત કરી હતી કે આલિયા ભટ્ટ પણ આ ફિલ્મમાં એક મહત્વની ભૂમિકા ભજવશે.