Gujarat

ખેડૂતોને રાહત: જમીન માપણીની ભૂલો સુધારવા ગુજરાતમાં 'ભૂમિ સીમાંકન' પદ્ધતિ અમલી, જાણો કેવી રીતે થશે નિકાલ

By GS TEAM
11 Mar 20262 mins read
TukuTouch Logo
ગુજરાતમાં ખેતીની જમીનોના પ્રમોલગેશન (જમીન માપણી) બાદ સામે આવેલી ક્ષતિઓ અને ખેડૂતોની ફરિયાદોના નિકાલ માટે સરકારે નવી કાર્યપદ્ધતિ જાહેર કરી છે. રાજ્યભરમાં જમીન માપણીની ભૂલો સુધારવા માટે હવે 'ભૂમિ સીમાંકન' પદ્ધતિ હેઠળ એકસમાન આયોજન કરવામાં આવશે. આ પ્રક્રિયા માટે જિલ્લા સ્તરે કલેક્ટરની અધ્યક્ષતામાં ખાસ સમિતિઓની રચના કરવામાં આવશે.

Summarized by AI; it may make mistakes. Check important info

ખેડૂતોને રાહત: જમીન માપણીની ભૂલો સુધારવા ગુજરાતમાં 'ભૂમિ સીમાંકન' પદ્ધતિ અમલી, જાણો કેવી રીતે થશે નિકાલ

Gujarat Land Survey Error Correction: ગુજરાતમાં ખેતીની જમીનોના પ્રમોલગેશન (જમીન માપણી) બાદ સામે આવેલી ક્ષતિઓ અને ખેડૂતોની ફરિયાદોના નિકાલ માટે સરકારે નવી કાર્યપદ્ધતિ જાહેર કરી છે. રાજ્યભરમાં જમીન માપણીની ભૂલો સુધારવા માટે હવે 'ભૂમિ સીમાંકન' પદ્ધતિ હેઠળ એકસમાન આયોજન કરવામાં આવશે. આ પ્રક્રિયા માટે જિલ્લા સ્તરે કલેક્ટરની અધ્યક્ષતામાં ખાસ સમિતિઓની રચના કરવામાં આવશે.

જિલ્લા સ્તરે ભૂમિ સીમાંકન સમિતિની રચના

જમીન દફતરની વિસંગતતાઓ દૂર કરવા માટે દરેક જિલ્લામાં કલેક્ટરના નેતૃત્વમાં સમિતિ કાર્યરત થશે. આ સમિતિમાં નિવાસી અધિક કલેક્ટર અને SLR (નાયબ નિયામક જમીન દફતર), પ્રાંત અધિકારી અને DILR, મામલતદાર અને TDO, જમીન સંપાદન અધિકારી અને સંબંધિત એજન્સીના પ્રતિનિધિ જેવા અધિકારીઓનો સમાવેશ કરાશે.

ક્ષતિઓના નિકાલ માટે 7 કેટેગરી નક્કી કરાઈ

માપણીની ભૂલો અને વાંધા અરજીઓના વ્યવસ્થિત નિકાલ માટે મહેસૂલ વિભાગ દ્વારા 7 અલગ-અલગ કેટેગરી બનાવવામાં આવી છે.

1- સરકારી જમીનમાં ઘટાડો ન હોય અને કોઈ વાંધા ન હોય તેવી અરજીઓ.

2- સરકારી જમીનમાં ફેરફાર ન હોય અને ખાતેદારોને કોઈ વાંધો ન હોય.

3- સરકારી જમીન સુરક્ષિત હોય પરંતુ વાંધા અરજીઓ પેન્ડિંગ હોય.

4- જે ગામોમાં 30% થી વધુ સર્વે નંબરોમાં કબજા ફેરફાર (અવલ-દવલ) હોય.

5- કોઈ ચોક્કસ વિસ્તાર પૂરતા મર્યાદિત વાંધાઓ હોય.

6- ક્ષેત્રફળમાં મોટા ફેરફાર અને આકૃતિમાં ફેરફાર (Cascading effect) વાળા કિસ્સા.

7- જ્યાં પ્રમોલગેશન જ ન થયું હોય તેવા કિસ્સા.

આ પણ વાંચો: યુદ્ધની ઇફેક્ટ : ગેસ સિલિન્ડરની ડિલિવરી નીતિમાં થયેલા ફેરફારથી ગ્રાહકોની ગેસ એજન્સી ઓફિસે લાંબી કતાર : કાળા બજારીયા સક્રિય

મોબાઈલ મેજિસ્ટ્રેટ કોર્ટ દ્વારા સ્થળ પર ઉકેલ

જટિલ પ્રશ્નોના નિકાલ માટે ખેડૂતોએ કચેરીઓના ધક્કા ન ખાવા પડે તે હેતુથી 'મોબાઈલ મેજિસ્ટ્રેટ કોર્ટ' સમિતિ બનાવવામાં આવશે. તાલુકા વિકાસ અધિકારી (TDO) અને મામલતદારોને વધુ સત્તા આપીને જમીન મહેસૂલ અધિનિયમની કલમ 119, 120 અને નિયમ 21 મુજબ સ્થળ પર જ કાર્યવાહી કરી પ્રશ્નો ઉકેલવા સૂચના અપાઈ છે.

આ નવી વ્યવસ્થાથી રાજ્યમાં જમીન માપણીને લગતા વર્ષો જૂના પ્રશ્નોનો ઝડપી અને પારદર્શક ઉકેલ આવશે તેવો અંદાજ છે.