Get The App

રિબેટ યોજના ઇફેકટ, મનપાને 2 દિવસમાં રૂા. 3.16 કરોડની મિલકત વેરાની આવક

Updated: Apr 4th, 2026

GS TEAM

Google News
Google News
રિબેટ યોજના ઇફેકટ, મનપાને 2 દિવસમાં રૂા. 3.16 કરોડની મિલકત વેરાની આવક 1 - image

- શુક્રવારે 4974 કરદાતાએ રૂા. 2.60 કરોડનો વેરો ભર્યો 

- બે દિવસમાં 6174 કરદાતાએ વેરો ભરી 10 થી 12 ટકા રિબેટ મેળવ્યું : રજામાં પણ મિલકત વેરો ભરવા કરદાતાઓની કતાર લાગી 

ભાવનગર : ભાવનગર મહાનગરપાલિકામાં દ્વારા નવા નાણાંકીય વર્ષનો મિલકત વેરો સ્વીકારવાની કામગીરી શરૂ કરવામાં આવી છે અને કરદાતાઓને રિબેટ આપવામાં આવી રહ્યુ છે તેથી હાલ બહોળી સંખ્યામાં કરદાતાઓ મિલકત વેરો ભરી રહ્યા છે. 

ભાવનગર મહાનગરપાલિકા દ્વારા નાણાંકીય વર્ષ ૨૦૨૬-૨૭ ના મિલકત વેરા બિલો સ્વીકારવાની કામગીરી ગઈકાલે ગુરૂવારના સાંજના ૦૪.૦૦ કલાકથી શરૂ કરવામાં આવી છે, પ્રથમ દિવસે કેટલાક કરદાતાઓ મિલકત ભરી રિબેટ મેળવ્યુ હતુ, જયારે આજે શુક્રવારે મિલકત વેરો ભરવા મહાપાલિકાની કચેરીએ કરદાતાઓની કતાર લાગી હતી. આજે એક દિવસમાં જાહેર રજામાં પણ ૪૯૭૪ કરદાતાએ રૂા. ર.૬૦ કરોડનો મિલકત વેરો ભર્યો હતો. બે દિવસમાં કુલ ૬૧૭૪ કરદાતાએ કુલ રૂા. ૩.૧૬ કરોડનો મિલકત વરો ભરી ૧૦ થી ૧ર ટકાની રિબેટ યોજનાનો લાભ મેળવ્યો હતો, જેમાં કુલ ૪૪૫૧ કરદાતાઓ દ્વારા ઓનલાઇન માધ્યમથી તથા કુલ ૧૭૨૩ કરદાતાઓ દ્વારા ઓફલાઇન માધ્યમથી ઘરવેરાના વેરો ભર્યો હતો. 

એપ્રિલ માસમાં ઘરવેરો ભરપાઇ કરનાર કરદાતાઓને ઘરવેરા અને સફાઇ વેરાની રકમ પર ૧૦ ટકા તથા ઓનલાઇન/ડિજીટલ પેમેન્ટ ભરનારને વધારાનું ૨ ટકા એમ કરીને કુલ ૧૨ ટકા રીબેટ મળવાપાત્ર રહેશે. વેરો સ્વીકારવા માટેની કેશ બારીઓ મહાનગરપાલિકાની મુખ્ય કચેરી, પૂર્વ અને પશ્ચિમ ઝોનલ કચેરી ખાતે સમગ્ર એપ્રિલ માસમાં શનિવાર, રવિવાર સહિતની તમામ જાહેર રજાઓમાં શરૂ રાખવામાં આવેલ છે તેમ મહાપાલિકાના ઘરવેરા વિભાગના અધિકારીએ માહિતી આપતા જણાવેલ છે.