Gujarat

વડોદરામાં વાયરલ બીમારીના દર્દીઓમાં ધરખમ વધારો, આરોગ્ય વિભાગના કર્મચારીઓની મુદત પૂર્ણ થતા કામગીરી ખોરંભે

By GS Team
31 Dec 20211 min read
This article was originally published on 31 Dec 2021
વડોદરામાં વાયરલ બીમારીના દર્દીઓમાં ધરખમ વધારો, આરોગ્ય વિભાગના કર્મચારીઓની મુદત પૂર્ણ થતા કામગીરી ખોરંભે

વડોદરા, તા. 31 ડિસેમ્બર

વડોદરામાં એક તરફ વાયરલ બીમારી ના દર્દી માં વધારો થયો છે તો બીજી તરફ આરોગ્ય વિભાગના કર્મચારીઓની મુદત પૂર્ણ થઇ જતાં આરોગ્યલક્ષી કામગીરી ખોરવાઇ હોવાના આક્ષેપો સાથે મહિલા કોંગી કોર્પોરેટરે મ્યુનિસિપલ કમિશનરને રજૂઆત કરી છે.

મ્યુનિસિપલ કમિશનરને પાઠવેલા આવેદનપત્રમાં જણાવ્યું હતું કે ,તાજેતરમાં વડોદરા શહેર ડેન્ગ્યુ , ચીકનગુનિયા, મેલેરિયા તેમજ અલગ અલગ વાયરલ બીમારીના દર્દીઓ માં વધારો થયો છે. જેથી કોર્પોરેશન જરૂરી આરોગ્યલક્ષી કામગીરી સઘન કરવી જોઈએ. પરંતુ આરોગ્ય વિભાગના અને પબ્લિક હેલ્થ વર્કરની કરાર આધારિત ગુજરાત બે દિવસ અગાઉ પૂર્ણ થઈ ગઈ છે. પરિણામે વડોદરામાં આરોગ્યલક્ષી કામગીરી ખોરવાઇ છે. જે પ્રકારે દર્દીઓ વધી રહ્યા છે તે જોતા આ બાબતની ગંભીરતા સમજવી જરૂરી છે. અને નાગરિકોના આરોગ્યને ઘરમાં રાખી તાત્કાલિક ધોરણે  પબ્લિક હેલ્થ વર્કર અને ફિલ્ડ વર્કર ની કરાર આધારિત મુદત માં વધારો કરી આરોગ્યલક્ષી કામગીરી સઘન બનાવવા માંગણી  છે.