Gujarat

રાજકોટમાં ચૂંટણી પહેલા ‘રિસોર્ટ પોલિટિક્સ'! ભાજપના ડરથી કોંગ્રેસના 18 ઉમેદવારોને અજ્ઞાત સ્થળે ખસેડાયા

By GS TEAM
14 Apr 20262 mins read
TukuTouch Logo
રાજકોટમાં પ્રથમવાર કોંગ્રેસે ભાજપ કરતાં વહેલી યાદી બહાર પાડી, કોઈનું ફોર્મ રદ થયું નથી ત્યારે કોંગ્રેસના રાજકારણમાં નવોદિત ઉમેદવારોના ફોર્મ પાછા ખેંચાવીને ચૂંટણી બિનહરીફ કરવાના કાવાદાવા શરૂ થતાં કોંગ્રેસના 18થી વધુ ઉમેદવારોને ભાજપના કોઈ નેતા સંપર્ક ન કરી શકે તે રીતે અજ્ઞાત સ્થળે લઈ જવાયા છે.

Summarized by AI; it may make mistakes. Check important info

રાજકોટમાં ચૂંટણી પહેલા ‘રિસોર્ટ પોલિટિક્સ'! ભાજપના ડરથી કોંગ્રેસના 18 ઉમેદવારોને અજ્ઞાત સ્થળે ખસેડાયા
AI IMAGE

Rajkot News : રાજકોટમાં પ્રથમવાર કોંગ્રેસે ભાજપ કરતાં વહેલી યાદી બહાર પાડી, કોઈનું ફોર્મ રદ થયું નથી ત્યારે કોંગ્રેસના રાજકારણમાં નવોદિત ઉમેદવારોના ફોર્મ પાછા ખેંચાવીને ચૂંટણી બિનહરીફ કરવાના કાવાદાવા શરૂ થતાં કોંગ્રેસના 18થી વધુ ઉમેદવારોને ભાજપના કોઈ નેતા સંપર્ક ન કરી શકે તે રીતે અજ્ઞાત સ્થળે લઈ જવાયા છે.

ભાજપ પોતાની હાર ભાળી ગયું છે

આ અંગે શહેર કોંગ્રેસના પ્રમુખ રાજદીપસિંહ જાડેજાએ જણાવ્યું કે, આ વખતે શાસકપક્ષ સામે લોકોમાં રોષ અને આંતરિક વિખવાદોથી ભાજપને જીતવું અઘરું લાગતા તેને ફાયદો થાય તે રીતે કેટલાક તત્ત્વોએ અમારા લો-પ્રોફાઇલ, શાંતિપ્રિય સભ્યોનો સંપર્ક સાધીને ફોર્મ પાછું ખેંચવા ધમકાવવા અને લલચાવવા પ્રયાસો કર્યાના ચાર-પાંચ કિસ્સા અમારા ધ્યાનમાં આવ્યા છે. આ અન્વયે અમે 18 જેટલા ઉમેદવારોને તા. 15ના રોજ ફોર્મ પાછું ખેંચવાની અંતિમ તારીખના અંતિમ સમય સુધી ગુપ્ત સ્થળે સાચવવાનો નિર્ણય લીધો છે. આ અંગે શહેર ભાજપ પ્રમુખ માધવ દવેએ કહ્યું, આવી વાત થાય છે પરંતુ, ભાજપને આવું કરવાનો સમય જ નથી.

આ પણ વાંચો: અમદાવાદ: નરોડા નજીક SUV કારમાંથી ઝડપાયો વિદેશી દારૂ, 12 લાખના મુદ્દામાલ સાથે બે શખસો ઝડપાયા

સરકારી અધિકારીઓ ભાજપના કાર્યકરોની જેમ કામ કરે છે

આ ઉપરાંત રાજકોટમાં વૉર્ડ નં. 3,7, 15 સહિતના મોટાભાગના વૉર્ડમાં જે સ્થાનિક નેતાઓ સક્ષમ છે તેમને તેમના વૉર્ડની પેનલમાં કોઈ પણ ઉમેદવારને ડરાવવા કે લલચાવવા પ્રયાસ ન થાય તે માટે પેનલને અકબંધ રાખવા જવાબદારી અપાઈ છે. રાજકોટ કોંગ્રેસના નેતાઓએ જણાવ્યું કે અમારી લડત એ ભાજપ નામના શાસકપક્ષ સામે નથી પરંતુ, અંગ્રેજો જેવા પક્ષપાતી શાસકો સામે છે, તંત્ર પણ અમને કેટલું રક્ષણ, ન્યાય, સહયોગ આપે તે પણ સવાલ છે. કારણ કે સરકારી અધિકારીઓ ભાજપના કાર્યકરોની જેમ કામ કરે છે.