Get The App

રાજકોટ: સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પહેલા ક્ષત્રિય આંદોલનનો જાણીતો ચહેરો પદ્મિનીબા વાળા આમ આદમી પાર્ટીમાં જોડાયા

Updated: Apr 7th, 2026

GS TEAM

Google News
Google News
રાજકોટ: સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પહેલા ક્ષત્રિય આંદોલનનો જાણીતો ચહેરો પદ્મિનીબા વાળા આમ આદમી પાર્ટીમાં જોડાયા 1 - image


રાજ્યમાં આગામી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પહેલા રાજકીય પક્ષો સક્રિય થયા છે. ત્યારે ક્ષત્રિય આંદોલન દરમિયાન સક્રિય ભૂમિકા ભજવીને ચર્ચામાં આવેલા પદ્મિનીબા વાળા આજે(7 એપ્રિલ) આમ આદમી પાર્ટી (AAP)માં જોડાયા છે. રાજકોટ ખાતે આયોજિત એક કાર્યક્રમમાં પ્રદેશ પ્રમુખ ઈસુદાન ગઢવીની હાજરીમાં તેમણે આપનો કેસ ધારણ કર્યો હતો.

પદ્મિનીબા વાળાએ પોતાના આ નિર્ણય પાછળનું કારણ સ્પષ્ટ કરતા જણાવ્યું કે, તેઓ જનતાની સેવા કરવા અને અન્યાય સામે અવાજ ઉઠાવવા માટે આ મંચ પર આવ્યા છે. ઉલ્લેખનીય છે કે ક્ષત્રિય આંદોલન વખતે પદ્મિનીબાએ જે રીતે સરકાર સામે બાથ ભીડી હતી, તેનાથી તેઓ સમગ્ર ગુજરાતમાં ચર્ચામાં આવ્યા હતા. હવે જ્યારે તેઓ સક્રિય રાજકારણમાં પ્રવેશ્યા છે, ત્યારે ક્ષત્રિય સમાજ અને અન્ય વર્ગોમાં આ નિર્ણયની કેવી અસર પડશે તે જોવું રસપ્રદ રહેશે.