Gujarat

અમદાવાદમાં કોરોનાના ૭૭ કેસ નોંધાયા

By GS Team
28 Feb 20221 min read
This article was originally published on 28 Feb 2022
અમદાવાદમાં કોરોનાના ૭૭ કેસ નોંધાયા

  અમદાવાદ,રવિવાર,27 ફેબ્રુ,2022

અમદાવાદમાં રવિવારે કોરોનાના દૈનિક કેસમાં ૨૧ કેસનો ઘટાડો થતા નવા ૭૭ કેસ નોંધાયા હતા.સતત છઠ્ઠા દિવસે પણ શહેરમાં કોરોનાથી એક પણ દર્દીનું મોત થવા પામ્યુ નહોતું.શહેરના તમામ રસીકરણ કેન્દ્રો ઉપરથી રવિવારે ૭૪૧ લોકોને કોરોના રસીનો પહેલો ડોઝ અને ૫૮૭૨ લોકોને કોરોના રસીનો બીજો ડોઝ આપવામાં આવ્યો હતો.૪૯૨ લોકોને પ્રિકોશન ડોઝ આપવામાં આવ્યો હતો.૧૫થી ૧૮ વયના બાળકો પૈકી ૨૪૧ બાળકોને કોરોના રસીનો પહેલો ડોઝ અને ૧૬૨૬ લોકોને રસીનો બીજો ડોઝ આપવામાં આવ્યો હતો.