Gujarat

નવા વેરિયન્ટને લીધે સરકારને ડર આઠ શહેરોમાં રાત્રિ કરફ્યૂ યથાવત

By GS Team
30 Nov 20213 mins read
This article was originally published on 30 Nov 2021
નવા વેરિયન્ટને લીધે સરકારને ડર આઠ શહેરોમાં રાત્રિ કરફ્યૂ યથાવત

'નમસ્તે ટ્રમ્પવાળી' થવાના ડરે પ્રતિબંધ હળવા કરવાનું ટાળ્યું 

અમદાવાદ સહિતનાં આઠ શહેરોમાં રાત્રિના 1થી પ વાગ્યા સુધી કરફ્યૂ, બજારો-હોટલો રાત્રે 12 સુધી ખુલ્લા રહેશે 

અમદાવાદ : નવા ઓમિક્રોન વેરિયન્ટને લીધે સમગ્ર દુનિયા ચિંતિત છે.  નવા વેરિયન્ટને પગેલ કોંરોનાની ત્રી જી લહેરના ડરથી ગુજરાત સરકારે પણ શહેરોમાં રાત્રિ કરફયૂ સહિતના નિયંત્રણો હટાવવાનુ હાલ પુરતુ ટાળ્યુ છે.

અમદાવાદ સહિતના આઠેય મોટા શહેરોમાં રાત્રિ કરફયૂ યથાવત રખાયો છે. ઉલ્લેખનીય છે કે, આ સમગ્ર નિયમો માત્ર દસ દિવસ માટે અમલી બનાવાયા છે.તા.10  ડિસેમ્બર સુધી નવી માર્ગદર્શિકા અમલમાં રહેશે. અમદાવાદ સહિતના આઠ મહાનગરોમાં રાત્રિ કરફ્યૂ મુદત પૂર્ણ  થતા જ રાજ્ય ગૃહ વિભાગે નવી માર્ગદર્શિકા જાહેર કરી હતી. 

અમદાવાદ,વડોદરા, રાજકોટ, સુરત, ભાવનગર, જામનગર, જૂનાગઢ અને ગાંધીનગરમાં રાત્રિના એક વાગ્યાથી સવારના પાંચ વાગ્યા સુધી રાત્રિ કરફ્યૂ અમલમાં રહેશે. હોટલ- રેસ્ટોરન્ટ ઉપરાંત દુકાનો,બજાર, લારી ગલ્લા, માર્કેટિંગ યાર્ડ અને શોપિંગ કોમ્પ્લેક્સ રાત્રિના 12 વાગ્યા સુધી ખુલ્લા રહેશે. રાત્રિ કરફયુના સમયમાં કોઇ ફેરફાર કરવાનુ સરકારે ટાળ્યુ છે. સિનેમા હોલ 100 ક્ષમતા સાથે ખુલ્લા રહેશે.

શહેરોમાં બાગ બગીચા પણ રાત્રિના 10 વાગ્યા સુધી ખુલ્લા રહેશે. લગ્ન માટે 400 જણાંની મંજૂરીને સરકારે યથાવત રાખી છે.લગ્ન માટે ડીજીટલ ગુજરાત પોર્ટલ પર નોંધણી કરવાની ય જોગવાઇ કરાઇ છે. કોચિંગ સેન્ટરો 50 ટકા ક્ષમતા સાથે, વાંચનાલય 75 ટકાની ક્ષમતા સાથે ખુલ્લા રાખી શકાશે. સ્પા પણ રાત્રિના 9 વાગ્યા સુધી ખુલ્લા રાખવા સરકારે લીલીઝંડી આપી  દીધી છે. 

રેલીઓ,દિવાળી સ્નેહમિલનમાં હજારોની ભીડ એકત્ર કરી કોરોનાએ જાણે ગુજરાતમાંથી વિદાય લીધી છે તેવુ ચિત્ર ખુદ સરકાર જ ઉભુ કરી રહી છે. સરકાર જ કોરોનાના પ્રતિબંધ વધુ હળવા કરવાના મતમાં હતી.

એટલું જ નહીં, લગ્નમાં 800 જણાંને છુટ આપવા મંજૂરી આપવા ચર્ચા કરાઇ હતી પણ નવા વેરિયન્ટને કારણે સરકારને ગુજરાતમાં નમસ્તે  ટ્રમ્પવાળી થવાનો ડર પેઠો હતો. એટલું જ નહીં, જો કોરોના વકરે તો સરકારના માથે ઠિકરૂ ફુટે તેમ હોવાથી રાત્રિ કરફ્યૂ સહિતના નિયંત્રણો યથાવત રાખવા ફરજ પડી છે.

ભાજપના દિવાળી સ્નેહ મિલનમાં હજારોની ભીડ, લગ્નમાં 400 જણાં હોય તો મંજૂરી લેવાની.....

ભાજપના નેતા-કાર્યકરો માટે કાયદા જ નથી. કાયદો માત્ર ગુજરાતની આમ જનતા માટે જ છે. ભાજપના દિવાળી સ્નેહ મિલનમાં હજારોની ભીડ એકત્ર થાય, રસ્તા પર ટ્રાફિક જામ થાય, ભાજપના કાર્યકરો માસ્ક-સોશિયલ ડિસટન્સના નિયમોનો છડેચોક ઉલ્લંઘન કરે તો ય પોલીસ તમાશો નિહાળે છે.

જયારે લગ્ન પ્રસંગ હોય તો ગુજરાત ડીજીટલ પોર્ટલ પર મંજૂરી લેવાની સરકારે જોગવાઇ રહી છે. આમ, આમ જનતા કાયદાનુ પાલન ન કરે તો પોલીસ શિક્ષાત્મક કાર્યવાહી કરવા તૈયાર જ હોય છે પણ ભાજપના કાર્યક્રમ હોય તો આંખે પાટા બાંધી લે છે.

વાઇબ્રન્ટ ગુજરાતને જોતાં માત્ર દસ દિવસ માટે જ જાહેરનામું પ્રસિધ્ધ કરાયું

ગત વખતે રાત્રિ કરફ્યૂ સહિતના પ્રતિબંધા માટે ગૃહ વિભાગ એક મહિના માટે જાહેરનામુ પ્રસિધૃધ કર્યુ હતું. ચર્ચા એવી છેકે, વાઇબ્રન્ટ ગુજરાત સમિટના દિવસો નજીક આવી રહ્યા છે.

નવી સરકાર આ ઇવેન્ટ યોજવા ખૂબ જ ઉત્સાહિત છે. પણ નવો વેરિયન્ટ વાઇબ્રન્ટ ગુજરાતમાં ગ્રહણ સર્જી શકે છે. વાઇબ્રન્ટ ગુજરાતના કારણે જ ગૃહ વિભાગે દસ દિવસ માટે નવી માર્ગદર્શિકા જાહેર કરી છે. નવા વાઇબ્રન્ટ કેટલો ઘાતક છે આૃથવા કેટલો માઇલ્ડ છે તે ચિત્ર પંદરેક દિવસમાં જ સ્પષ્ટ થઇ જશે જેના કારણે ગૃહ વિભાગે થોડાક દિવસ માટે જાહેરનામુ પ્રસિધૃધ કર્યુ છે. તા.10 ડિસેમ્બર સુધી નવા નિયમો અમલમાં છે.