Gujarat

કરોડોની જમીનના વિવાદમાં 'બારોટના ચોપડા' ખુલ્યા, દતક પુત્રના દાવામાં આવ્યો નવો વળાંક

By GS TEAM
7 Jan 20262 mins read
TukuTouch Logo
જામનગર શહેરના પોશ વિસ્તાર ગણાતા શરૂ સેક્શન રોડ પર પોલીસ હેડ ક્વાર્ટર પાછળ આવેલી કરોડોની કિંમતની ટી.પી.ની જમીનનો વિવાદ હવે ચરમસીમાએ પહોંચ્યો છે. વર્ષોથી ચાલતા આ વારસાઈ હક્કના જંગમાં જામનગરની અદાલતમાં 'વહીવંચા બારોટ'ના ચોપડા રજૂ કરવામાં આવતા કેસમાં મોટો વળાંક આવ્યો છે.

Summarized by AI; it may make mistakes. Check important info

કરોડોની જમીનના વિવાદમાં 'બારોટના ચોપડા' ખુલ્યા, દતક પુત્રના દાવામાં આવ્યો નવો વળાંક

Jamnagar Land Dispute : જામનગર શહેરના પોશ વિસ્તાર ગણાતા શરૂ સેક્શન રોડ પર પોલીસ હેડ ક્વાર્ટર પાછળ આવેલી કરોડોની કિંમતની ટી.પી.ની જમીનનો વિવાદ હવે ચરમસીમાએ પહોંચ્યો છે. વર્ષોથી ચાલતા આ વારસાઈ હક્કના જંગમાં જામનગરની અદાલતમાં 'વહીવંચા બારોટ'ના ચોપડા રજૂ કરવામાં આવતા કેસમાં મોટો વળાંક આવ્યો છે.

શું છે સમગ્ર વિવાદ?

જામનગરના પોલીસ હેડ ક્વાર્ટર પાછળ આવેલી મોકાની ખુલ્લી જમીનના વારસાઈ હક્ક માટે જામનગરની કોર્ટ ઉપરાંત હાઈકોર્ટ અને સુપ્રીમ કોર્ટમાં પણ કાયદાકીય લડત ચાલી રહી છે. આ કેસના કેન્દ્રમાં ગંગદાસ હંસરાજ નામના વ્યક્તિનો દતક પુત્ર તરીકેનો અધિકાર છે.

કેસની મુખ્ય વિગતો:

સંબંધોની ગૂંચ: ગંગદાસના કુદરતી પિતા કેશવજીભાઈ હતા, પરંતુ તેમને હંસરાજભાઈએ દતક લીધા હતા.

બહેનોનો વિરોધ: દતક પિતા હંસરાજભાઈની ચાર પુત્રીઓએ ગંગદાસને દતક પુત્ર તરીકે સ્વીકારવાનો ઇનકાર કરી જમીનમાં હિસ્સો આપવા સામે વિવાદ ઊભો કર્યો હતો.

ગુપ્ત સમાધાન: ગંગદાસની જાણ બહાર હંસરાજભાઈ અને કેશવજીભાઈના અન્ય વારસદારોએ હાઈકોર્ટમાં સમાધાન કરી લીધું હતું. જોકે, ગંગદાસે આ સામે હાઈકોર્ટમાં 'કન્ટેમ્પટ' (અદાલતની અવમાનના)ની કાર્યવાહી કરતા અદાલતે ચુકાદો આપ્યો હતો કે આ સમાધાન દતક પુત્રને બંધનકર્તા રહેશે નહીં.

અદાલતમાં રજૂ થયો 'નિર્ણાયક' પુરાવો

પોતે જ સાચા વારસદાર અને દતક પુત્ર છે તે સાબિત કરવા માટે ગંગદાસે જામનગરની અદાલતમાં પોતાના એડવોકેટ મારફત વહીવંચા બારોટ રતિલાલના ચોપડા રજૂ કરાવ્યા છે.

બારોટના ચોપડાનું મહત્ત્વ

ભારતીય કાયદાકીય પરંપરામાં વંશાવલી સાબિત કરવા માટે બારોટના ચોપડાને અત્યંત વિશ્વસનીય અને નિર્ણાયક પુરાવો માનવામાં આવે છે. આ ચોપડામાં દતક લીધા અંગેની ઐતિહાસિક નોંધ મળી આવતા ગંગદાસનો પક્ષ મજબૂત થયો હોય તેમ જણાય છે.

હવે શું થશે?

કરોડોની જમીન પર પોતાનો હક્ક સ્થાપિત કરવા માટે આ 'કૌટુંબિક આંબા' અને બારોટના ચોપડાની નોંધ હવે કોર્ટમાં મહત્વની સાબિત થશે. અદાલતમાં આ નવા વળાંક બાદ હવે જમીનના અસલી વારસદાર કોણ ઠરશે, તેના પર સૌની મીટ મંડાણી છે.