Gujarat

મુનસર કાંઠે મેલડી માતાના મંદિરે નવચંડી યજ્ઞા

By GS TEAM
3 Apr 20261 min read
મુનસર કાંઠે મેલડી માતાના મંદિરે નવચંડી યજ્ઞા

વિરમગામઃ વિરમગામના ઐતિહાસિક મુનસર તળાવ સ્થિત વડલાવાળા મેલડી માતાજીના મંદિરે ચૈત્રી પૂનમે ૩૮મો નવચંડી યજ્ઞા શાસ્ત્રોક્ત વિધિ સાથે સંપન્ન થયો હતો. બ્રહ્માલીન ભગવાન દાદાની પ્રેરણાથી શરૃ થયેલી આ પરંપરામાં હજારો ભક્તોએ મહાપ્રસાદનો લાભ લીધો હતો. નોંધનીય છે કે અહીં છેલ્લા ૩૭ વર્ષથી દાતાઓના સહયોગથી સતત બટુક ભોજન પણ ચલાવવામાં આવે છે.