Gujarat

જૂનાગઢના માંગરોળમાં 22 ઇંચ વરસાદથી જનજીવન અસ્તવસ્ત, રાજ્યમાં 167 તાલુકામાં મેઘમહેર

By GS Team
3 Jul 20261 min read
TukuTouch Logo
રાજ્યમાં 3 જુલાઈએ સવારે 6 વાગ્યાથી રાત્રે 10 વાગ્યા સુધીમાં 167 તાલુકામાં ધોધમાર વરસાદ ખાબક્યો છે. જેમાં જૂનાગઢના માંગરોળમાં 22 ઇંચ વરસાદથી જળબંબાકારની સ્થિતિ જોવા મળી રહી છે. જ્યારે જૂનાગઢના માળીયા હાટીનામાં 14 ઇંચ, ડાંગના વઘઈ અને સુરતના અંબિકામાં 13-13 ઈંચથી વધુ વરસાદ નોંધાયો છે. તેમજ 77થી વધુ તાલુકામાં 1 ઇંચથી વધુ વરસાદ ખાબક્યો છે.

Summarized by AI; it may make mistakes. Check important info

જૂનાગઢના માંગરોળમાં 22 ઇંચ વરસાદથી જનજીવન અસ્તવસ્ત, રાજ્યમાં 167 તાલુકામાં મેઘમહેર

Gujarat Rainfall Updates : રાજ્યમાં સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના મોટાભાગના જિલ્લામાં ભારેથી અતિભારે વરસાદથી અનેક વિસ્તારોમાં રસ્તા પર નદીઓ જેવા દ્રશ્યો સર્જાયા છે. તો કેટલીક જગ્યાએ નદી-નાળા છલકાયા છે. જ્યારે કેટલાક નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા છે. આમ, રાજ્યમાં 3 જુલાઈએ સવારે 6 વાગ્યાથી રાત્રે 10 વાગ્યા સુધીમાં 167 તાલુકામાં ધોધમાર વરસાદ ખાબક્યો છે. જેમાં જૂનાગઢના માંગરોળમાં 22 ઇંચ વરસાદથી જળબંબાકારની સ્થિતિ જોવા મળી રહી છે. જ્યારે જૂનાગઢના માળીયા હાટીનામાં 14 ઇંચ, ડાંગના વઘઈ અને સુરતના અંબિકામાં 13-13 ઈંચથી વધુ વરસાદ નોંધાયો છે. તેમજ 77થી વધુ તાલુકામાં 1 ઇંચથી વધુ વરસાદ ખાબક્યો છે.

Gujarat Rain Image.jpg
valsad Rain Updates.jpg