Gujarat
રોડ ક્રોસ કરતા શ્રમજીવીને વાહન ચાલકે ટક્કર મારતા મોત
By GS TEAM
1 Mar 20261 min read

વડોદરા,ડભોઇ રોડ સોમા તળાવથી તરસાલી જતા માર્ગ પર રોડ ક્રોસ કરતા શ્રમજીવી યુવાનને વાહન ચાલકે ટક્કર મારતા મોત થયું હતું. કપુરાઇ પોલીસે સીસીટીવી કેમેરાના આધારે આરોપીની તપાસ શરૃ કરી છે.
ડભોઇરોડ સોમા તળાવ બ્રિજ પાસે મહાદેવ ફળિયામાં રહેતા અનિલભાઇ દિનેશભાઇ ઠાકોર ગઇકાલે રાત્રે ચાલતા સોમા તળાવથી તરસાલી તરફ ચાલતા જઇ રહ્યા હતા. તરસાલી બ્રિજ પહેલા એક વાહન ચાલક તેઓને ટક્કર મારીને ભાગી ગયો હતો. તેઓને માથા, હાથ, પાંસળી અને કમરના ભાગે ઇજા થતા સારવાર માટે સયાજી હોસ્પિટલમાં લઇ જવામાં આવ્યા હતા. સારવાર દરમિયાન મોડીરાત્રે તેઓનું મોત થયું હતું. કપુરાઇ પોલીસે ગુનો દાખલ કરી ભાગી ગયેલા વાહન ચાલકની શોધખોળ શરૃ કરી છે.








