સત્યમ શિવમ સુન્દરમ પરિવાર દ્વારામ હાશિવરાત્રિ પર્વે શહેરમાં શિવજીકી સવારીનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં મોટી સંખ્યામાં શિવભક્તો જોડાશે.
શિવજી કી સવારીની પરંપરા વડોદરામાં વર્ષ૨૦૧૩થી શરૂથઈ હતી. પંચધાતુમાંથી તૈયાર કરાયેલ મહાનંદી પર બિરાજ માન શિવ પરિવારની સાડા આઠ ટનની ભવ્ય પ્રતિમા સાથે આ યાત્રા શહેરનું અનોખું નજરાણું બની છે.
આગામી તા. ૧૫ ફેબ્રુઆરીએ બપોરે ૩-૩૦ કલાકે પ્રતાપનગર સ્થિત રામુક્તેશ્વર મહાદેવ મંદિરથી શિવજી કી સવારી પ્રસ્થાન કરશે. વાડી-ચોખંડી-માંડવી-ન્યાયમંદિર-માર્કેટ-દાંડીયાબજાર માર્ગે સાંજે ૭ કલાકે સુરસાગર પહોંચશે, જ્યાં ૭-૧૫કલાકે મહાઆરતી યોજાશે. ત્યારબાદ યાત્રા પરંપરાગત રૂટે આગળ વધીને ઉદયનારાયણ મંદિર, સલાટવાડા ખાતે સમાપન કરશે.
શહેરના રાજમા ગર્ગો પરથી પસાર થનારીશિવ જીકી સવારીમાં શિવભક્તો હર હર મહાદેવના જયઘોષ સાથે ભક્તિભાવથી સહભાગી બનશે. આ દરમિયાન ઢોલ-નગારા, ભજન-કીર્તન અને પરંપરાગત ભક્તિમય માહોલ સર્જાશે.


