Gujarat

જમીન માંગણીની અરજી પેન્ડિંગ હશે તો લેન્ડ ગ્રેબિંગ લાગુ નહીં પડે

By GS Team
25 Jan 20221 min read
This article was originally published on 25 Jan 2022
જમીન માંગણીની અરજી પેન્ડિંગ હશે તો લેન્ડ ગ્રેબિંગ લાગુ નહીં પડે

આદિજાતિ વિસ્તારોમાં લેન્ડ ગ્રેબિંગ એક્ટમાં સુધારો

લેન્ડ ગ્રેબિગ એક્ટના નામે આદિવાસીઓને હેરાનગતિ, સરકારને રજૂઆતો

અમદાવાદ : આદિજાતિ વિસ્તારોમાં લેન્ડ ગ્રેબિંગ એક્ટના નામે આદિવાસીઓને હેરાન કરવામાં આવી રહ્યા છે તેવી રાજ્ય સરકાર સમક્ષ ઘણી રજૂઆતો કરવામાં આવી છે. આખરે રાજ્ય સરકારે એવી જાહેરાત કરી છેકે, આદિજાતિ વિસ્તારોમાં જમીન માંગણીની અરજી પેન્ડિંગ હશે તો લેન્ડ ગ્રેબિંગ એક્ટ લાગુ નહી પડે.

રાજય સરકારે આદિજાતિ વિસ્તાર માટે લેન્ડ ગ્રેબિંગ એક્ટમાં સુધારો કર્યો છે. આદિજાતિ મંત્રી નરેશ પટેલે સત્તાવાર જાહેરાત કરી છેકે, આજેય હજારો આદિવાસીઓને જંગલ વિસ્તારમાં જમીનો મળી નથી ત્યારે લેન્ડ ગ્રેબિંગ એક્ટના નામે હેરાન કરવામાં આવી રહ્યા છે.

અત્યારે જંગલની જમીનો પર આદિવાસીઓ ખેતી પણ કરી રહ્યા છે. 2006ના કાયદા આદિવાસીઓને જંગલની જમીન મેળવવાનો હક છે ત્યારે સરકાર જંગલની જમીન મુદ્દે કાયદામાં સુધારો કર્યો છે. જમીનની માંગણી પેન્ડિંગ હશે તો તે આદિવાસી સામે લેન્ડ ગ્રેબિંગ એક્ટ લાગુ નહી થાય.