Get The App

જામનગર તાલુકાનું લાખાબાવળ ગામ કોલેરા રોગગ્રસ્ત જાહેર કરાયું

Updated: Feb 21st, 2026

GS TEAM

Google News
Google News
જામનગર તાલુકાનું લાખાબાવળ ગામ કોલેરા રોગગ્રસ્ત જાહેર કરાયું 1 - image

જામનગર તાલુકાના લાખાબાવળ ગામમાંથી કોલેરાનો પોઝિટિવ કેસ નોંધાયેલ છે. જેનો ફેલાવો અટકાવવા માટે તથા આ વિસ્તારને કોલેરા રોગગ્રસ્ત અને તેની આજુબાજુનો 2 કિ.મી.નો વિસ્તાર કોલેરા ભયગ્રસ્ત વિસ્તાર જાહેર કરાયો હોવાનું જાહેરનામું જામનગર જિલ્લા મેજિસ્ટ્રેટ દ્વારા બહાર પાડવામાં આવ્યું છે. 

જાહેરનામા મુજબ મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી જામનગર તરફથી મળેલ દરખાસ્ત અન્વયે જામનગર તાલુકાના લાખાબાવળ ગામમાંથી કોલેરાનો પ્રોઝિટીવ કેસ નોંધાયેલ હોવાથી કોલેરા રોગનો ફેલાવો થતો અટકાવવા માટે અને તાત્કાલિક પગલા લેવા માટે એપેડેમીક ડીસીઝ એકટ 1897ની કલમ 3 અન્વયે લાખાબાવળ ગામને કોલેરા રોગગ્રસ્ત વિસ્તાર તરીકે અને તેની આસપાસના 2 કી.મી.ના વિસ્તારને કોલેરા ભયગ્રસ્ત વિસ્તાર તરીકે જાહેર કરવામાં આવ્યો છે.

આ વિસ્તાર માટે તાલુકા વિકાસ અધિકારી જામનગરને કોલેરા નિયંત્રણ અધિકારી તરીકે નિયુક્તિ કરી નિયંત્રણ હેઠળની તમામ સત્તાઓ જિલ્લા મેજિસ્ટ્રેટ  દ્વારા એનાયત કરવામાં આવી છે.