Gujarat

જામનગર નજીક જોગવડ ગામની સીમ વિસ્તારમાં પરપ્રાંતિય શ્રમિક યુવાનનો અગમ્ય કારણસર ગળાફાંસા દ્વારા આપઘાત

By GS TEAM
8 Mar 20261 min read
TukuTouch Logo
જામનગર નજીક જોગવડ ગામમાં રામદુત નગર વિસ્તારમાં એક ભાડાના મકાનની અવાવરુ ઓરડીમાં આજથી બે દિવસ પહેલાં મૂળ પશ્ચિમ બંગાળના વતની મંગલ માજી ગુરુપદ માજી નામના 21 વર્ષના પરપ્રાંતીય શ્રમિક યુવાને સિમેન્ટના પિઢીમાં ઓઢણી બાંધી ગળાફાંસા દ્વારા આપઘાત કરી લીધો હતો.

Summarized by AI; it may make mistakes. Check important info

જામનગર નજીક જોગવડ ગામની સીમ વિસ્તારમાં પરપ્રાંતિય શ્રમિક યુવાનનો અગમ્ય કારણસર ગળાફાંસા દ્વારા આપઘાત

જામનગર નજીક જોગવડ ગામમાં રામદુત નગર વિસ્તારમાં એક ભાડાના મકાનની અવાવરુ ઓરડીમાં આજથી બે દિવસ પહેલાં મૂળ પશ્ચિમ બંગાળના વતની મંગલ માજી ગુરુપદ માજી નામના 21 વર્ષના પરપ્રાંતીય શ્રમિક યુવાને સિમેન્ટના પિઢીમાં ઓઢણી બાંધી ગળાફાંસા દ્વારા આપઘાત કરી લીધો હતો.

આ બનાવ અંગે રઘુવીરસિંહ ગુલાબસિંહ જાડેજાએ પોલીસને જાણ કરતાં મેઘપર- પડાણાના પોલીસ હેડ કોન્સ્ટેબલ આર.એન. થાનકી બનાવના સ્થળે દોડી ગયા હતા, અને પરપ્રાંતિય શ્રમિક યુવાનના મૃતદેહનો કબજો સંભાળી જામનગરની સરકારી જીજી હોસ્પિટલમાં પોસ્ટ મોર્ટમ કરાવાયું છે, જ્યારે તેના વાલી વારસદારને શોધવા માટેની કવાયત હાથ ધરી છે. તેણે કયા સંજોગોમાં આત્મહત્યાનું પગલું ભરી લીધું. એ જાણવા માટે પોલીસ ઊંડાણ પૂર્વકની તપાસ કરી રહી છે.