Gujarat

આજથી સૂર્ર્યના વધુને વધુ સીધા કિરણો પૃથ્વી તરફ આવશે ૫રિણામે ગરમી વધશે

By GS Team
25 May 20202 mins read
This article was originally published on 25 May 2020
આજથી સૂર્ર્યના વધુને વધુ સીધા કિરણો પૃથ્વી તરફ આવશે ૫રિણામે ગરમી વધશે

જ,રવિવાર

ભારતીય જ્યોતિષ મુજબ ઉનાળા દરમિયાન સૂર્ય રોહિણી નક્ષત્રમાં આવે એટલે ગરમી વાધવા લાગે છે જેને નૌતપા પણ કહેવાય છે. ત્યારે આવતીકાલે રપ મેના સૂર્ય કૃત્રિકા નક્ષત્રમાંથી રોહિણી નક્ષત્રમાં પરિભ્રમણ કરશે. સૂર્યના નક્ષત્ર બદલવા સાથે ખગોળકીય વિજ્ઞાન પ્રમાણે આ દિવસો દરમિયાન ગરમી વાધે છે. આવતીકાલાથી સૂર્યના સીધા કિરણો પૃથ્વી પર આવશે.

વૈજ્ઞાનિક આાધાર મુજબ આવતીકાલાથી સૂર્યના વધુને વધુ સીધા કિરણો પૃથ્વી તરફ આવતા જશે જેના કારણે ગરમી વાધશે પરંતુ આ વર્ષે શુક્ર તારો અસ્ત થવાથી તેનો પ્રભાવ ઓછો રહેશે. હિંદુ પરંપરા મુજબ નૌતપામાં જળદાન કરવાનં ઘણુ મહત્વ છે. આરોગ્યની દ્દષ્ટિએ પણ આ દિવસોમાં વાધારે પ્રમાણમાં પાણી પીવુ જોઈએ. આરોગ્યનું ધ્યાન રાખવુ જરૃરી હોવાનું આયુર્વેદ નિષ્ણાંતો જણાવે છે. આ સમયગાળામાં પાણીની ઉણપાથી કોઈ બિમારી ન થાય એ માટે વાધારે પાણી પીવુ હિતાવહ છે. ઉપરાંત નારીયેળ પાણી અને ઠંડક આપતી અન્ય વસ્તુઓ પણ ખાવી હિતાવહ છે. નૌતપા વિશે શ્રીમદ ભાગવત અને વરાહમિહિરના જ્યોતિષ ગ્રંથ સૂર્ય સિધૃધાંતમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે.આવતીકાલે રપમેના સવારે લગભગ ૮.૧૦ વાગ્યે સૂર્યદેવ રોહિણી નક્ષત્રમાં પ્રવેશ કરશે. સૂર્ય જ્યારે રોહિણી નક્ષત્રમાં થઈને વૃષભ રાશિના ૧૦થી ર૦ અંશ સુાધી રહે છે ત્યારે નૌતપા થાય છે. આ નક્ષત્રમાં સૂર્ય લગભગ ૧પ દિવસ સુાધી રહેશે. પરંતુ શરૃઆતના ૯ દિવસ સુાધી ગરમી ખૂબ જ વાધી જાય છે. એટલે આ ૯ દિવસના સમયને નૌતપા કહેવામાં આવે છે. આ સમય રપ મેાથી ર જુન સુાધી રહેશે. આ સિવાય જેઠ મહિનાના સુદ પક્ષમાં ચંદ્ર જ્યારે આદ્રાથી સ્વાની સુાધી ૧૦ નક્ષત્રોમાં રહેતો હોય ત્યારે નૌતપા થાય છે. આ વર્ષે સંવત્સરના રાજા બુાધ છે અને રોહિણી નિવાસ સંિધમા છે જેાથી વરસાદ તો સમય પર આવી જશે પરંતુ કોઈ જગ્યાએ ઓછો માત્રામાં વરસાદ થશે. આ વર્ષે દેશના રણ પ્રદેશ અને પર્વતીય વિસ્તારોમાં વાધારે વરસાદ થઈ શકે છે. વરસાદના કારણે અનાજ અને પાક સારો થશે. ધાન્ય, દુાધ અને પેય પદાર્થો તેજી રહેશે. જવ, ઘઉં, રાઈ, સરસીયો, ચણા, બાજરો, મગનો પાક આશા પ્રમાણે થશે.