Gujarat

બનાસકાંઠાના ધાનેરા તાલુકામાં રાયડાના વાવેતરમાં અવ્વલ નંબરે

By GS Team
2 Jan 20222 mins read
This article was originally published on 2 Jan 2022
બનાસકાંઠાના ધાનેરા તાલુકામાં રાયડાના વાવેતરમાં અવ્વલ નંબરે

ધાનેરા, તા.01

ધાનેરા તાલુકો વર્ષોથી રાયડાના વાવેતરમા નંબર વન છે. શિયાળા તુ દરમિયાન ધાનેરા તાલુકામા સૌથી વધારે રાયડાનું વાવેતર થાય છે.સમગ્ર ગુજરાત રાજ્યમા રાયડાના વાવેતર અને ઉત્પાદનમા ધાનેરા તાલુકો આગળ છે. જો કે છેલ્લા દસ વર્ષથી સિંચાઇના પાણી ઓછા થતા હોવા છતાં પણ છેલ્લા ત્રણ વર્ષથી ધાનેરા તાલુકામા રાયડાનું વાવેતર જળવાઈ રહ્યું છે.

ખેતી વાડી વિભાગમાંથી મળેલા રાયડાના વાવેતરના આકડાંની વાત કરવામાં આવે તો વર્ષ ૨૦૧૯ મા  ૩૦ હજાર ૭૬૪ હેકટર રાયડાનું વાવેતર થયું હતું તો વર્ષ ૨૦૨૦ મા ૩૦ હજાર ૨૧૬ હેકટર જયારે ચાલુ વર્ષે દરમિયાન ધાનેરા તાલુકામા રાયડાનું ૩૦ હજાર ૭૪૭ હેકટરમાં વાવેતર થયું છે. ધાનેરા તાલુકામા મુખ્ય શિયાળા તુ દરમિયાન રાયડો.એરંડા તેમજ તમાકુનું વાવેતર થતું હતું.જો કે હવે ખેડૂતો ખેતીની સાથે પશુપાલન ના વ્યવસાય સાથે સંકળાઇ જતા રાયડા પછી લીલા ઘાસ ચારનું  વાવેતર આવે છે. જયારે ચાલુ વર્ષ દરમિયાન રાયડાનો ભાવ પણ સારો હોવાના કારણે ખેડૂતોએ અન્ય ખેતી કરતા રાયડાનું વાવેતર કરવું પસંદ કર્યું છે.

રાયડામાં પાણીની જરૃરીયાત ઓછી હોવાથી વાવેતર વધુ

ધાનેરા તાલુકામા સિંચાઇ ના પાણી ની સમસ્યા હોવાના કારણે જે વાવેતર મા પિયત ઓછું કરવું પડ્તું હોય તેવી ખેતી ખેડૂતો વધુ કરે છે.રાયડા ના વાવેતર દરમિયાન પિયત ચાર વાર થતું હોવાના કારણે રાયડો નું વધુ વાવેતર થાય છે.સાથે પાણી ક્ષાર વાળુ હોવા છતાં પણ રાયડાનું ઉત્પાદન સારૃં મળતું હોય છે.થાવર ગામના ખેડૂત દેવજી ભાઈએ પહેલી વાર ઓર્ગેનિક રીતે રાયડાનું વાવેતર કર્યું છે.બે અલગ અલગ ટુકડામા વાવેતર કરી રાસાયણિક ખાતર સાથે ઓર્ગેનિક ખાતરનો ઉપયોગ કર્યો છે.