Gujarat

મેઘતાંડવનું સંકટ હજુ ટળ્યું નથી! ગુજરાતના 7 જિલ્લામાં ભારે વરસાદની ચેતવણી

By GS Team
14 Sep 20262 mins read
TukuTouch Logo
ગુજરાતમાં 3 વરસાદી સિસ્ટમ સક્રિય થતાં 20 સપ્ટેમ્બર સુધી હળવાથી ભારે વરસાદની આગાહી છે. 14 સપ્ટેમ્બરે 250થી વધુ તાલુકામાં ભારે વરસાદથી અમદાવાદ-ભાવનગર સહિતના જિલ્લા જળબંબાકાર થયા. હવામાન વિભાગે 15 સપ્ટેમ્બરે કચ્છ-સૌરાષ્ટ્રના 7 જિલ્લામાં યલો ઍલર્ટ જાહેર કર્યું છે.

Summarized by AI; it may make mistakes. Check important info

મેઘતાંડવનું સંકટ હજુ ટળ્યું નથી! ગુજરાતના 7 જિલ્લામાં ભારે વરસાદની ચેતવણી

Gujarat Heavy Rain Alert: સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાત સહિતના વિસ્તારોમાં છેલ્લા કેટલાંક દિવસથી હળવાથી ભારે વરસાદનો માહોલ સક્રિય છે. આ દરમિયાન 14 સપ્ટેમ્બરે રાજ્યના 250થી વધુ તાલુકામાં ભારેથી અતિભારે વરસાદથી અમદાવાદ, ભાવનગર સહિતના વિસ્તારો જળમગ્ન બન્યા છે. જો કે, હજુ મેઘતાંડવનું સંકટ ટળ્યું નથી! લો-પ્રેશર એરિયા અને સાયક્લોનિક સર્ક્યુલેશન સહિતની ત્રણ વરસાદી સિસ્ટમ સક્રિય હોવાથી હવામાન વિભાગે આગામી 20 સપ્ટેમ્બર સુધી હળવાથી ભારે વરસાદની આગાહી કરી છે. જેમાં મંગળવારે(15 સપ્ટેમ્બર) કચ્છ-સૌરાષ્ટ્રના 7 જિલ્લામાં ભારે વરસાદને લઈને યલો ઍલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.

image.png

આ 12 જિલ્લા માટે ત્રણ કલાક 'ભારે'

હવામાન વિભાગની ત્રણ કલાકના Nowcast પ્રમાણે, 14 સપ્ટેમ્બરે સાંજે 7 વાગ્યાથી રાત્રે 10 વાગ્યા સુધીમાં કચ્છ, બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, સુરેન્દ્રનગર, મોરબી, રાજકોટ, જામનગર, બોટાદ, અમરેલી અને ભાવનગર જિલ્લામાં ભારે વરસાદનું રેડ ઍલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. આ સિવાય અમદાવાદ સહિતના અન્ય 21 જિલ્લામાં ભારે વરસાદની શક્યતા છે.

કચ્છ-સૌરાષ્ટ્રના 7 જિલ્લામાં ભારે વરસાદનું યલો ઍલર્ટ

હવામાન વિભાગ અનુસાર, 15 સપ્ટેમ્બરના રોજ કચ્છ, મોરબી, જામનગર, રાજકોટ, દેવભૂમિ દ્વારકા, પોરબંદર, જૂનાગઢ જિલ્લામાં ગાજવીજ સાથે ભારે વરસાદની ચેતવણી આપવામાં આવી છે.

image.png

20 સપ્ટેમ્બર સુધી હળવા વરસાદની આગાહી

જ્યારે 16 સપ્ટેમ્બરથી 20 સપ્ટેમ્બર દરમિયાન રાજ્યના મોટાભાગના છૂટાછવાયા સ્થળોએ મેઘગર્જના સાથે હળવાથી મધ્યમ વરસાદ પડવાની શક્યતા છે.

આ પણ વાંચો: ગુજરાતના 250 તાલુકામાં મેઘમહેર: સૌથી વધુ ભાવનગરના વલ્લભીપુરમાં 6 ઇંચ ખાબક્યો, અમદાવાદ સહિત 21 તાલુકામાં 3 ઇંચથી વધુ વરસાદ

ગુજરાતમાં કેટલી વરસાદી સિસ્ટમની અસર વર્તાશે?

IMD અમદાવાદ મુજબ, ગુજરાતમાં મુખ્યત્વે 3 વરસાદી સિસ્ટમો સક્રિય છે અથવા તેની સીધી/અપ્રત્યક્ષ અસર વર્તાશે.
લો-પ્રેશર એરિયા અને સાયક્લોનિક સર્ક્યુલેશન: ઉત્તર ગુજરાત અને અડીને આવેલા રાજસ્થાન પર લો-પ્રેશર સિસ્ટમ સક્રિય છે, જે ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદ લાવવા માટે મુખ્ય જવાબદાર છે.
મોન્સૂન ટ્રફ: આ વરસાદી લાઇન નળિયા અને ઉત્તર ગુજરાત પરથી પસાર થઈ રહી છે, જે સમગ્ર રાજ્યમાં ચોમાસુ પ્રવૃત્તિને વેગ આપશે.
સાયક્લોનિક સર્ક્યુલેશનથી નીકળતી ટ્રફ લાઇન: આ લાઇન ઉત્તર ગુજરાતથી મધ્ય પ્રદેશ થઈને ઝારખંડ સુધી લંબાયેલી હોવાથી પૂર્વ અને ઉત્તર ગુજરાતના ભાગોમાં વરસાદી વાતાવરણ જાળવી રાખશે.